ગુજરાતમાં મોટી છેતરપિંડી, સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા
September 28, 2024

અમદાવાદ - ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક અપાવવાની લાલચ આપીને પાંચ યુવકો સાથે અમદાવાદમાં રહેતા ચાર ગઠિયાઓએ રૂપિયા 3.45 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચ ખાતે નોંધવામાં આવી છે. નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે સરકારી નોકરીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. આરોપીઓએ એક પોસ્ટ માટે બે થી સવા કરોડની રકમ નક્કી કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. જેના આધારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને સ્ટેમ્પ જપ્ત કરાયા છે. આરોપીઓ સરકારી નોકરીની લાલચ આપીને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત છે.
નિકોલમાં આવેલા ક્રિશ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઇ પટેલે ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ચાર વર્ષ પહેલા એલએલબીના એડમીશન માટે તે જીતેન્દ્ર પ્રજાપતિ (રહે. ઘનશ્યામનગર સોસાયટી,નવા વાડજ)ને મિરઝાપુર કામા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી તેની ઓફિસમાં મળ્યા હતા. આ સમયે તેમની મુલાકાત જલદીપ ટેલર (રહે.શ્રીકૃષ્ણ સોસાયટી, ઇસનપુર) સાથે થઇ હતી. જીતેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જલદીપનો વકીલ છે અને તે મોટા સરકારી અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહી GPSC દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી નોકરીમાં સીધી ભરતી કરાવી આપે છે. જલદીપે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરની એક જગ્યા ખાલી છે. જે જગ્યાએ યોગેશભાઇને નિમણૂંક અપાવશે. આ માટે સવા બે કરોડ રૂપિયા આપવા પડશે. જેમાં પહેલા એડવાન્સમાં સવા કરોડ રૂપિયા, નોકરી લાગે તે પછી એક કરોડ રૂપિયા ત્યારબાદ 25 લાખ હપ્તે આપી શકાશે. જેથી જલદીપની વાતમાં આવીને યોગેશભાઇએ હા કહી હતી અને ફાઇલ તૈયાર કરવા માટે ડોક્યુમેન્ટ સાથે ક્લાઇન્ટ ફી પેટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જેના થોડા સમય બાદ જલદીપનો માણસ હિતેશ સૈની અને જલદીપે 16 લાખ રૂપિયા લઇને 10 દિવસમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂંક મળી જશે અને તેના પર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવની સહી વાળો પત્ર આપ્યો હતો.
આમ, યોગેશભાઇને નોકરી નક્કી થયાનું કહીને તેમના અન્ય પરિચિતોને પણ નોકરી જોઇતી હોય તો અપાવી દેવાની ખાતરી આપીને યોગેશભાઇ પાસેથી નોકરી શરૂ થાય તે પહેલા કુલ 1.19 કરોડ રૂપિયા લીધા હતા. આ પૈકી મોટાભાગના નાણાં જલદીપ પટેલના ડ્રાઇવર તરીકે નોકરી કરતા અંકિત પટેલ (રહે. પાયલ પાર્ક, કૃષ્ણનગર) દ્વારા કલેક્ટ કરવામાં આવતા હતા. જો કે નાણાં લીધાના સાત મહિના સુધી અલગ અલગ કારણ આપીને યોગેશભાઇને નોકરીમાં હાજર કરાવ્યા નહોતા.
બીજી તરફ યોગેશભાઇ તેમના ભાગીદાર વિજયભાઇ ઠક્કરને વર્ગ-1ની નોકરીમાં વડોદરામાં ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક અપાવવાનું કહીને સવા બે કરોડની ડીલ કરી હતી. જેમાં વિજયભાઇએ 1.20 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત, અંકિત પટેલને GMDCમાં આસિસટન્ટ મેનેજરની પોસ્ટ અપાવવાનું કહીને બે કરોડની રકમ નક્કી કરી હતી. જેમાં તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. અતુલ પટેલને ગાંધીનગરમાં જોઇન્ટ ડાયરેક્ટરની પોસ્ટ અપાવવાની ખાતરી આપીને 1.20 કરોડની રકમ નક્કી કરીને અલગ અલગ સમયે 22 લાખ રૂપિયા લીધા હતા. એટલું જ તમામને બનાવટી નિમણૂંક પત્રો પણ આપ્યા હતા. ત્યારબાદ ગન લાયસન્સ જરૂરી હોવાનું કહીને ત્રણ લાખ રૂપિયા ફી પેટે લીધા હતા અને લાયસન્સ આવતા પોસ્ટિંગની ખાતરી આપી હતી.
બાદમાં લોકસભાની ચૂંટણીનું કારણ આપીને ખોટા વાયદા કર્યા હતા. આ દરમિયાન વિશ્વાસ કેળવવા માટે ગાંધીનગર જુના સચિવાલયમાં ગામેતી અને અંકિત પંડ્યા નામના બે વ્યક્તિ સાથે મુલાકાત કરાવીને નોકરીની ખાતરી આપી હતી. જો કે તેમણે ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યાની જાણ થતા ક્રાઇમબ્રાંચમાં જલદીપ ટેલર, હિતેશ સૈની, જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડ્યા વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે 4 આરોપીને ઝડપી લીધા છે.
Related Articles
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતી...
Jun 30, 2025
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર ત...
Jun 29, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના...
Jun 29, 2025
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપહરણ બાદ બે શખસોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપ...
Jun 28, 2025
ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે ATM તોડ્યા પણ સફળ ન થયા, ત્રિપુટી પકડાઈ
ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે AT...
Jun 28, 2025
શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભગવાન નિજ મંદિર પરત ફર્યા
શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભ...
Jun 28, 2025
Trending NEWS

29 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025