PM મોદીએ તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિરમાં કર્યા પૂજા-પાઠ

May 08, 2024

લોકસભાની ચૂંટણીને લઇને ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે હવે બાકીના તબક્કાની ચૂંટણી માટે પીએમ મોદીએ પ્રચાર તેજ કર્યો છે. ત્યારે પીએમ મોદી આજે તેલંગણાના પ્રવાસે છે. તેલંગણામાં 13મેના રોજ મતદાનને લઇને તેઓ પ્રચાર કરવા નીકળ્યા છે. પરંતુ તે પહેલા તેમણે જેશ્વર સ્વામી મંદિરમાં પૂજા પાઠ કર્યા હતા.

મહત્વનું છે કે આપણે સૌ પીએમ મોદીની શિવભક્તિથી પરિચિત છીએ.ત્યારે કરીમનગરના વેમુલાવાડા ખાતે આવેલા શ્રી રાજા રાજેશ્વર સ્વામી મંદિરમાં પીએમ મોદીએ પૂજા કરી હતી. નંદીની પૂજા કરતા પીએમ મોદી જોવા મળ્યા હતા.