પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવતા જ મમતા બેનરજીની પાર્ટીમાં મોટું ભંગાણ, 20 સાંસદોનો બળવો
June 09, 2026
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પત્તાના મહેલની જેમ વિખરાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. બંગાળ વિધાનસભામાં ધારાસભ્યોના પક્ષપલટા બાદ હવે લોકસભામાં પણ ટીએમસીના સાંસદોમાં મોટું ભંગાણ સર્જાયું છે. ટીએમસીના બળવાખોર જૂથનો દાવો છે કે લોકસભાના કુલ 28 સાંસદોમાંથી 20 સાંસદોએ અલગ જૂથ બનાવવાનો અને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનરજી માટે આ એક ખૂબ જ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં ટીએમસીનું એક મોટું જૂથ બળવા પર ઉતરી આવ્યું છે. કાકોલી ઘોષે દાવો કર્યો છે કે તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં અલગ બેઠક વ્યવસ્થા આપવાની માંગ કરી છે અને આ સાંસદો એનડીએમાં જોડાવા ઈચ્છે છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સાથે થયેલી એક બેઠકમાં ટીએમસીના 14 સાંસદો હાજર રહ્યા હતા. આ બળવાખોર જૂથમાં કાકોલી ઘોષ ઉપરાંત શતાબ્દી રોય, બાપી હલદર, અરૂપ ચક્રવર્તી, જૂન માલિયા, દીપક અધિકારી, કાલીપદા સરેન, જગદીશ બસુનિયા, અસિત મલ, અબુ તાહીર ખાન, ખલીકુર રહમાન, શર્મિલા સરકાર, પ્રસૂન બેનરજી અને પાર્થ ભૌમિક જેવા મોટા ચહેરાઓ સામેલ છે.
હાલના તબક્કે ટીએમસી બે નહીં પણ 3 જૂથમાં વહેંચાયેલી જોવા મળી રહી છે. પહેલું જૂથ કાકોલી ઘોષનું છે જે બળવાખોર છે, જ્યારે બીજું જૂથ હજુ પણ મમતા બેનરજી સાથે મજબૂતીથી ઊભું છે. મમતા બેનરજીને વફાદાર રહેલા આ 7 સાંસદોમાં અભિષેક બેનરજી, સાયની ઘોષ, કીર્તિ આઝાદ, મહુઆ મોઇત્રા, સૌગત રોય, સુદીપ બંદોપાધ્યાય અને કલ્યાણ બેનરજીનો સમાવેશ થાય છે. કાકોલી ઘોષે પણ સ્પષ્ટ કર્યું છે કે આ નેતાઓ તેમના બળવાખોર જૂથનો ભાગ નથી.
Related Articles
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટાઓ આંદોલન, NEET આપી ચૂકેલા હર્ષ દુબેએ પરવાનગી માંગતાં મંજૂરી મળી
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટ...
Aug 05, 2026
થાઈલેન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ, અનેક તિરાડો પડી, 15થી 20 મુસાફરો ઘાયલ
થાઈલેન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુ...
Aug 05, 2026
કેરળમાં ચાર દિવસથી ધોધમાર વરસાદે તબાહી મચાવી, પૂર-ભૂસ્ખલનમાં 25ના મોત, 8 જિલ્લામાં રેડ એલર્ટ
કેરળમાં ચાર દિવસથી ધોધમાર વરસાદે તબાહી મ...
Aug 05, 2026
અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં 800 કરોડનો અંદાજ હતો તો 2200 કરોડ કેમ થયો? ટ્રસ્ટના પૂર્વ કર્મી મહિપાલસિંહનો ભ્રષ્ટાચારનો આરોપ
અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં 800 કરોડન...
Aug 05, 2026
છત્તીસગઢમાં બાદ મહારાષ્ટ્રમાં કૃત્રિમ પનીર પર પ્રતિબંધ, ઉત્પાદન કે વેચાણ કરનારને થશે જેલ અને દંડ
છત્તીસગઢમાં બાદ મહારાષ્ટ્રમાં કૃત્રિમ પન...
Aug 05, 2026
ISIના કથિત કાવતરાનો પર્દાફાશ, જંતર-મંતર પર હુમલાની યોજના સાથે 9ની ધરપકડ
ISIના કથિત કાવતરાનો પર્દાફાશ, જંતર-મંતર...
Aug 05, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026
04 August, 2026