'દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ થઈ ગઇ...', IIT દિલ્હીના વિદ્યાર્થીના મોત પર અભિજિત દીપકે ભડક્યો
August 29, 2026
કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજિત દીપકે દેશની વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સમગ્ર દેશનું શિક્ષણ તંત્ર સંપૂર્ણપણે તબાહ થઈ ચૂક્યું છે. IIT દિલ્હીના 31 વર્ષીય વિદ્યાર્થી ઋષિકેશ કુમારની આત્મહત્યાની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, દેશમાં એવા વાતાવરણની અત્યંત જરૂરિયાત છે. જ્યાં વિદ્યાર્થીઓને ભય ન લાગે અને તેમને પૂરતું સમર્થન મળે. 22 ઓગસ્ટે લેક્ચર હોલ કોમ્પ્લેક્સના 6ઠ્ઠા માળેથી પડતાં ઋષિકેશનું મોત થયું હતું. આ ઘટનાની તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ મુક્તા ગુપ્તા અને AIIMSના પ્રોફેસર પ્રતાપ શરણની સમિતિ બનાવવામાં આવી છે. અભિજિત દીપકે દેશના સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાનોની હાલત પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, IIT જેવી સંસ્થાઓ દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ ગણાય છે. પરંતુ વિતેલા વર્ષોમાં આવી જ IIT સંસ્થાઓમાં 65 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડા આપણા શ્રેષ્ઠ સંસ્થાઓની આંતરિક સ્થિતિ છતી કરે છે. અત્યારે વિદ્યાર્થીઓને તેમની મુશ્કેલીઓ અને માનસિક તણાવ સામે લડવા માટે એકલા છોડી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં ભવિષ્યને લઈને ઘર કરી ગયેલા ભયને દૂર કરવો અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયો છે. શિક્ષણ સિવાયના મુદ્દે વાત કરતા અભિજિત દીપકે સુભાષ ચંદ્રા પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે સુભાષ ચંદ્રાના 22,000 કરોડ રૂપિયાના જંગી દેવાને સેટલ કરીને માત્ર 6 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું. શું દેશના કોઈ સામાન્ય નાગરિકને આવી રાહત મળી શકે? જો સામાન્ય માણસ પાસે 50 લાખ રૂપિયાની હોમ લોન હોય તો શું બેંક 50 હજાર રૂપિયા લઈને બાકીનું દેવા માફ કરે છે? સામાન્ય માણસ અને વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન પર પણ વ્યાજ ચૂકવવું પડે છે, જ્યારે આટલું મોટું દેવા સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવ્યું છે.
Related Articles
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ મા...
29 August, 2026
નેપાળમાં 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની આશં...
29 August, 2026
સરકારના ઉપાયો પણ 'નિષ્ફળ', ડુંગળીના ભાવ આકાશ આંબ્ય...
29 August, 2026
'દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ થઈ ગઇ...', IIT દિલ્હીન...
29 August, 2026
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની...
29 August, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચે...
29 August, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના...
29 August, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનુ...
28 August, 2026
સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટણી થાય તો...
28 August, 2026
કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી દીધું રાજ...
28 August, 2026