હું ઈવીએમ પર ભાષણ આપું ત્યારે મને પણ રોકી દેવામાં આવે છે- શરદ પવાર
December 08, 2024

સોલાપુર : એનસીપીના સ્થાપક શરદ પવાર ઈવીએમ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોલાપુરના મર્કરવાડીમાં ઈવીએમ મત વિરૂદ્ધ ચાલી રહેલી મોક-પોલમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાંના લોકોએ બેલેટ પેપરથી મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ખાતરી હતી કે, એનસીપીના ઉમેદવારને ઈવીએમ કરતાં વધુ મત મળી શકે છે. પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા. અને આમ કરનારાઓની ધરપકડ કરી હતી.
શરદ પવારે મર્કરવાડીમાં પહોંચી કહ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી જોઈ રહ્યો છું કે, સંસદમાં મર્કરવાડીની ચર્ચા શરૂ થઈ છે. લોકો દલીલ કરી રહ્યા છે કે, દેશમાં કોઈને પણ આ અંગે જાણ થઈ નથી. પરંતુ મર્કરવાડીના લોકોને ખબર પડી ગઈ છે કે, ઈવીએમમાં ચેડાં થાય છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં બેલેટ પેપર વડે મતદાન થાય છે.
શરદ પવારે વધુમાં કહ્યું કે, આખી દુનિયા બેલેટ પેપર દ્વારા મતદાન કરી રહી છે, પરંતુ આપણે શા માટે ઈવીએમનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ મતદાન પછી તમને (માર્કરવાડીના લોકોને) શંકા ગઈ અને ગામમાં ફરી મતદાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને અટકાવી દીધો. હું ઈવીએમ પર ભાષણ આપું ત્યારે મને પણ રોકી દેવામાં આવે છે, આ કેવા પ્રકારની વાત છે? મને કંઈ સમજાતુ નથી.
Related Articles
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિ...
Jul 17, 2025
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025