બાંગ્લાદેશી મુસ્લિમોએ ભારતીય બનવું હોય તો બસ આ શરતો પૂરી કરે..' આસામ CMનો મોટો વાયદો

March 24, 2024

લોકસભા ચૂંટણી ટાણે આસામના મુખ્યમંત્રીનું એક નિવેદન ભારે ચર્ચામાં

આસામ- લોકસભા ચૂંટણી ટાણે આસામના મુખ્યમંત્રીનું એક નિવેદન ભારે ચર્ચામાં છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બાંગ્લાદેશ મૂળના બંગાળી ભાષી પ્રવાસી મુસ્લિમોને મૂળ ભારતીય નિવાસી તરીકેનો દરજ્જો આપવા માટે તેમની સામે કેટલીક શરતો મૂકી છે.  મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે જો બાંગ્લાદેશી મૂળના બંગાળી ભાષી પ્રવાસી મુસ્લિમોએ મૂળ નિવાસી તરીકેનો દરજ્જો મેળવવો હોય તો તેના માટે સૌથી પહેલા તેમણે બેથી વધુ બાળકો પેદા કરવાનું બંધ કરવું પડશે. તેમજ એકથી વધુ લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવો પડશે. આ આસામી લોકોની સંસ્કૃતિ નથી. જો બાંગ્લાદેશી મુસ્લિમો ભારતીય બનવા માંગતા હોય તો તેઓ તેમની સગીર દીકરીઓના લગ્ન નહીં કરી શકે. બાંગ્લાદેશી મુસ્લિમોને મિયા પણ કહેવામાં આવે છે.
મુખ્યમંત્રીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બંગાળી ભાષી મુસ્લિમો વૈષ્ણવ મઠની જમીન પર અતિક્રમણ કરે છે અને ભારતીય હોવાનો દાવો પણ કરે છે. સરમાએ કહ્યું, “જો તમે સ્વદેશી તરીકે ઓળખાવા માંગતા હોવ તો તમારા બાળકોને મદરેસામાં મોકલવાને બદલે તેમને ડોક્ટર અને એન્જિનિયર બનવા માટે શિક્ષિત કરો. મુસ્લિમોએ તેમની દીકરીઓને શાળાએ મોકલવાનું પણ શરૂ કરવું જોઈએ અને પિતાની સંપત્તિ પર અધિકાર આપવો જોઈએ."