2014થી 2024 સુધી રાહુલ ગાંધી વિરુદ્ધ 20થી વધુ કેસ: એકમાં દોષિત
December 20, 2024

દિલ્હી- બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણી બાદ સંસદ પરિસરમાં હોબાળાને લઈને નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સામે કેસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી પર ભાજપ સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સાથે ધક્કા-મુક્કીનો આરોપ છે. રાહુલ પર કેસ નોંધાયા બાદ કોંગ્રેસ પાર્ટી સતત સત્તાધારી પાર્ટી ભાજપનો વિરોધ કરી રહી છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી વેણુગોપાલ અનુસાર, આ કેસ મુદ્દા પરથી લોકોને ભટકાવવાનો પ્રયાસ છે.
વેણુગોપાલ અનુસાર, રાહુલ ગાંધી પર ભાજપ તરફથી કેસ કરવો એ કોઈ નવી વાત નથી. 2014થી અત્યાર સુધી રાહુલ ગાંધી પર 20થી વઘારે કેસ નોંધાયા છે. વર્ષ 2019માં રાહુલ ગાંધી પર સૌથી વધારે 5 કેસ નોંધવામાં આવ્યા હતાં. 2024માં 4 અને 2021માં રાહુલ ગાંધીની સામે 3 કેસ કરવામાં આવ્યા હતાં. રાહુલ 2019માં નોંધાયેલા કેસમાં ગુનેગાર પણ સાબિત થયા હતાં. વળી ઘણાં કેસ ટ્રાયલ કોર્ટમાં શરુ છે. રાહુલના બે કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચાલી રહી છે.
વર્ષ 2014માં રાહુલ ગાંધી પર પહેલો કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત જોઇન્ટ સિવિલ જજની કોર્ટમાં નોંધાયો હતો. રાહુલ પર આ કેસ ગાંધીની હત્યામાં આરએસએસની ભૂમિકા કહેવાને લઈને કરવામાં આવ્યો હતો. આ કેસ ક્રિમિનલ અને સિવિલ માનહાનિ સાથે જોડાયેલો છે. 2016માં રાહુલ ગાંધી પર આસામની રાજધાની ગુવાહાટીમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટની કોર્ટમાં નોંધાયો હતો. રાહુલ પર કેસ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ટિપ્પણીને લઈને કરવામાં આવ્યો હતો રાહુલે ગાંધીજીની હત્યા સાથે જોડાયેલા એક મામલામાં સંઘ પર ટિપ્પણી કરી હતી. વર્ષ 2018માં રાહુલ ગાંધી પર 3 કેસ નોંધાયા છે. પહેલો કેસ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને બીજો કેસ સુલ્તાનપુરમાં નોંધાયો હતો. ત્રીજો કેસ ઝારખંડમાં રાંચીમાં નોંધાયો હતો. રાહુલ ગાંધી પર બંને કેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકર્તાઓ પર વિવાદિત ટિપ્પણીને લઈને કરવામાં આવ્યો હતો. આ કેસ પણ માનહાનિ સાથે જોડાયેલો હતો.
2019માં રાહુલ ગાંધી પર સૌથી મોટા 5 કેસ નોંધાયા હતાં. આ કેસ દેશના અલગ-અલગ ભાગમાં નોંધાયા હતાં. મામલો મોદી અટક સાથે જોડાયેલો હતો. રાહુલે એક રેલીમાં સવાલ કરતા કહ્યું હતું કે, બધાં ચોર મોદી જ કેમ હોય છે ? રાહુલ ગાંધી પર મોદી અટકના મામલે સુરત, પટના, રાંચી, અમદાવાદ અને નવી દિલ્હીમાં કેસ કરવામાં આવ્યો હતો. સુરતના કેસમાં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં. જોકે, મામલાની સુનાવણી ચાલી રહી છે. સુરત કેસના કારણે 2023માં રાહુલ ગાંધીને સભ્ય પદ પણ ગુમાવ્યુ હતું.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025