સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'
October 13, 2024

સુરત : સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. દશેરાના ભાષણ દરમિયાન દક્ષેશ માવાણીની જીભ લપસી ગઈ હતી અને તેઓએ અસત્ય પર સત્યનો વિજયના બદલે સત્ય પર અસત્યની વિજય થઈ તેવું બોલ્યા હતાં. મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં. મેયરે જાહેર કાર્યક્રમમમાં કહ્યું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં. બાદમાં તેઓએ સુધારીને કહ્યું હતું કે, માફ કરજો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. રામચંદ્ર ભગવાને આ દિવસે રાવણનો વધ કર્યો હતો. મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ત્યાં પણ કોમેન્ટ કરી મેયરની ટીકા કરી રહ્યાં છે.
Related Articles
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અકસ્માત, કારના બે ટુકડા, બેના મોત
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અ...
May 23, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 2 લાખની સહાય
ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના...
Apr 02, 2025
Trending NEWS

જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્ર...
22 July, 2025

દક્ષિણ કોરિયામાં ભારે વરસાદથી તબાહી, 18ના મોત, અને...
22 July, 2025

ખામેનીના સહાયકોએ રશિયામાં પુતિન સાથે મુલાકાત કરી
22 July, 2025
નિર્દોષ બાળકોના મોતનું ખૌફનાક દ્રશ્ય, કેમ્પસમાં સં...
22 July, 2025

નાસા-ઇસરોનું સંયુક્ત મિશન 'NISAR' 30 જુલાઈએ લોન્ચ...
22 July, 2025

રશિયાએ કિવ પર કર્યો વિનાશક હવાઈ હુમલો, યુક્રેનમાં...
22 July, 2025

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટળી મોટી દુર્ઘટના, પાયલટે ર...
22 July, 2025

જગદીપ ધનખડેના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્...
22 July, 2025

ખાટુ શ્યામથી દર્શન કરીને આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ,...
22 July, 2025

ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષ...
21 July, 2025