સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'
October 13, 2024

સુરત : સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. દશેરાના ભાષણ દરમિયાન દક્ષેશ માવાણીની જીભ લપસી ગઈ હતી અને તેઓએ અસત્ય પર સત્યનો વિજયના બદલે સત્ય પર અસત્યની વિજય થઈ તેવું બોલ્યા હતાં. મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં. મેયરે જાહેર કાર્યક્રમમમાં કહ્યું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં. બાદમાં તેઓએ સુધારીને કહ્યું હતું કે, માફ કરજો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. રામચંદ્ર ભગવાને આ દિવસે રાવણનો વધ કર્યો હતો. મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ત્યાં પણ કોમેન્ટ કરી મેયરની ટીકા કરી રહ્યાં છે.
Related Articles
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અકસ્માત, કારના બે ટુકડા, બેના મોત
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અ...
May 23, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 2 લાખની સહાય
ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના...
Apr 02, 2025
સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે
સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝ...
Dec 22, 2023
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના ધારાસભ્યની પત્નીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના...
Jun 24, 2023
Trending NEWS

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટઃ જાફરાબાદ...
24 May, 2025