Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

આણંદમાં ઓવરટેકના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ-ટ્રક સામ-સામે ટકરાતાં 3 મોત

November 28, 2024

ગુજરાતમાં એક પછી એક ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે. આજે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. 

અહેવાલ અનુસાર તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ટક્કર થઇ ગઇ હતી. ટ્રક સામેથી આવતી હતી. અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા છે.   મૃતકોમાં યુવાનો સામેલ છે.