આતંકી હાફિઝ સઈદનો ડાબો-જમણો હાથ ગણાતો કમાન્ડર અબ્દુલ મલિક ઠાર
May 07, 2025

ગઈ રાત પાકિસ્તાન માટે કયામતના દિવસ જેવી ગઈ. ભારતીય સેનાએ મિસાઇલ હુમલામાં પાકિસ્તાનમાં લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 90 આતંકવાદીઓ માર્યા ગયા છે.
એવા વિસ્તારો જ્યાં ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા છે. તે છે - મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભીમ્બર, સિયાલકોટ, ચક અમરુ, મુરીદકે. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતે આ હુમલો પાકિસ્તાનમાં લગભગ 100 કિલોમીટર અંદર જઈને કર્યો હતો. સેનાએ આ સમગ્ર લશ્કરી કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે.
બહાવલપુરમાં જ પાકિસ્તાની આતંકવાદીઓની ફેક્ટરી છે. મધ્યરાત્રિએ થયેલા હવાઈ હુમલામાં આતંકવાદી મસૂદ અઝહરની મદરેસાનો નાશ થયો છે. આ જૈશ-એ-મોહમ્મદનો ગઢ છે, જ્યાંથી આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને ભારતમાં ઘુસણખોરી કરાવવામાં આવતી હતી.
દુનિયાને બતાવવા માટે, જૈશના બહાવલપુર મુખ્યાલયમાં ચેરિટી કાર્ય કરવામાં આવતું હોવાનું કહેવામાં આવતું હતું પરંતુ વાસ્તવમાં આતંકવાદીઓને અહીંથી તાલીમ આપવામાં આવતી હતી. ભારતીય હવાઈ હુમલામાં બહાવલપુરમાં જૈશના મુખ્યાલય તેમજ મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને ઉડાવી દેવામાં આવ્યું છે.
Related Articles
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ, તમામ પક્ષોએ ભારતીય સેનાના વખાણ કર્યાં
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ,...
May 08, 2025
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિક...
May 08, 2025
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત...
May 07, 2025
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂ...
May 07, 2025
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપર...
May 07, 2025
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારતીય સેનાનું મોટું ઓપરેશન
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારત...
May 07, 2025
Trending NEWS

07 May, 2025

07 May, 2025