અમદાવાદ પ્લેન ક્રેશ | 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા
June 12, 2025
.jpeg)
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Civil Aviation Minister Ram Mohan Naidu) સાથે વાત કરી છે. તેમણે તેમને અમદાવાદ જવા અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) સાથે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
Related Articles
ત્રણ દેશોની વિદેશયાત્રા પર જશે PM મોદી: કેનેડામાં G7, સાયપ્રસ-ક્રોએશિયામાં દ્વિપક્ષીય બેઠક
ત્રણ દેશોની વિદેશયાત્રા પર જશે PM મોદી:...
Jun 14, 2025
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિ...
Jun 14, 2025
મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર મંદિરમાંથી 114 મુસ્લિમ કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યાં
મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર મંદિરમાંથી 1...
Jun 14, 2025
NEET-UG 2025 પરિણામ જાહેર: રાજસ્થાનનો મહેશ દેશમાં ટોપર, ગુજરાતના 2 વિદ્યાર્થી ટોપ 10માં
NEET-UG 2025 પરિણામ જાહેર: રાજસ્થાનનો મહ...
Jun 14, 2025
અમદાવાદમાં ઍર ઈન્ડિયાના પ્લેનમાં 650 ફૂટની ઊંચાઈએ ખરાબી આવી અને 2 કિ.મીના અંતરે દુર્ઘટના ઘટી : સરકારની પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદમાં ઍર ઈન્ડિયાના પ્લેનમાં 650 ફૂટ...
Jun 14, 2025
દિલ્હીમાં જનપથ રોડ સ્થિત CCS બિલ્ડિંગમાં આગ લાગી
દિલ્હીમાં જનપથ રોડ સ્થિત CCS બિલ્ડિંગમાં...
Jun 14, 2025
Trending NEWS

14 June, 2025

14 June, 2025

14 June, 2025

14 June, 2025

14 June, 2025

14 June, 2025

13 June, 2025

13 June, 2025

13 June, 2025

13 June, 2025