Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

ભાજપ નીતીશને CM ચહેરો બનાવવા માંગતી નથી? JDUએ મોદી-નડ્ડાનું વધાર્યું ટેન્શન

March 02, 2025

બિહારમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને જેડીયુ વચ્ચે અત્યારથી જ રાજકારણ શરૂ થઈ ગયું હોય, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચૂંટણીને લઈને ભાજપ માટે સૌથી મોટું ટેન્શન મુખ્યમંત્રીના ચહેરાની છે, કારણ કે નીતીશ કુમારને ફરી મુખ્યમંત્રીના ચહેરો બનાવવા જેડીયુ ભાજપ પર દબાણ વધારી રહી છે, જ્યારે બીજીતરફ ભાજપ આ મુદ્દે હાલ કંઈપણ બોલી રહી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે ભાગલપુર આવ્યા હતા. અહીં તેમણે ભાજપ-જેડીયુની સંયુક્ત રેલીનો સંબોધન કરી નીતીશ કુમારને લાડલા મુખ્યમંત્રી કહ્યા હતા. પરંતુ JDU આ બાબતથી ખુશ નથી. જેડીયુને આશા હતી કે, વડાપ્રધાન મોદી નીતીશને એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે, પણ તેવું થયું નહીં.
આમ તો બિહારના કોઈપણ જેડીયુ નેતાએ આ મુદ્દે વડાપ્રધાનની ટીકા કરી નથી, પરંતુ પીએમ મોદીની રેલીના એક દિવસ બાદ નીતીશના પુત્ર નિશાંત કુમારે માંગ કરી છે કે, એનડીએ આગામી ચૂંટણીમાં તેમના પિતાને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નિશાંત હજુ સત્તાવાર રાજકારણમાં જોડાયા નથી. પીએમ મોદી દ્વારા નીતીશને લાડલા કહેવા મુદ્દે નિશાંતે કહ્યું કે, ભાજપ ગઠબંધનનો ભાગ છે, તેથી વડાપ્રધાન દ્વારા માતા પિતાને આવું કહેવું સ્વાભાવિક વાત છે.