'અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં'- પિયૂષ ગોયલની ફરી સ્પષ્ટતા
February 08, 2026
દિલ્હી ઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા તેજ બની છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ટ્રેડ ડીલને લઈને ઉઠાવવામાં આવેલા સવાલો મામલે પ્રતિક્રિયા આપી છે. ટ્રેડ ડીલમાં ભારતે સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું હોવાના દાવાઓને ગોયલે સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું કે, "આવા દાવા કરનારાઓ અજ્ઞાની છે. આ ટ્રેડ ડીલ એક લેબર ઓફ લવ છે."
પિયૂષ ગોયલે કહ્યું કે, "કૃષિ મામલે ભારતના ખેડૂતો અને ઉત્પાદકોના હિતોનું 100% ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતે માંસ, મરઘાં, GM ફૂડ્સ અથવા તેના ઉત્પાદનો પર કોઈ સબસિડી આપી નથી. આ ઉપરાંત, સોયાબીન ખોળ, મકાઈ, ચોખા અને ઘઉં જેવા અનાજ તેમજ જુવાર, બાજરી અને રાગી જેવા પાકને સુરક્ષિત રખાયા છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઉગાડવામાં આવતા ફળો જેમ કે કેળા, સ્ટ્રોબેરી, ચેરી, સાઇટ્રસ ફળો, લીલા વટાણા, ચણા, મગની દાળ, તેલીબિયાં, મગફળી અને મધ જેવા ઉત્પાદકો પર કોઈ સમજૂતી થઈ નથી. આ બધા ભારત માટે સંવેદનશીલ ઉત્પાદનો છે અને તેમાં કોઈ ઉદારતા દાખવવામાં આવી નથી.
અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ કે LNG ખરીદવાના પ્રશ્ન પર પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ ભારતની પોતાની વ્યુહાત્મક રણનીતિનો એક ભાગ છે. આનાથી આપણને ઓઈલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં મદદ મળે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે કઈ કંપની ક્યાંથી તેલ ખરીદશે, તેનો નિર્ણય કંપનીઓ પોતે જ લેતી હોય છે. વેપાર સમજૂતીનું મુખ્ય કામ તો વ્યાપારી માર્ગોને વધુ સરળ અને સુલભ બનાવવાનું છે.
પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ દેશ સાથે જ્યારે વેપાર સમજૂતી માટે વાતચીત થાય છે, ત્યારે તે અત્યંત ગહન અને વિસ્તૃત હોય છે. તેમાં દરેક પાસાં પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીરજ માંગી લે તેવી છે અને તેમાં ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. એટલે જ હું હંમેશા કહું છું કે, "આપણે ગતિ જાળવવી જોઈએ, ઉતાવળ નહીં."
Related Articles
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧ ફુટ ઊંચી ગોલ્ડન મૂર્તિનું અનાવરણ
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમા...
Mar 28, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભય...
Mar 28, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને ન...
Mar 27, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભાર...
Mar 27, 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ...
Mar 26, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધા...
Mar 25, 2026
Trending NEWS
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
27 March, 2026
26 March, 2026
26 March, 2026
25 March, 2026