Breaking News :
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં

September 27, 2025

દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બંનેની તીવ્રતા ભલે ઓછી હતી પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકાના વધેલા પ્રમાણે ચિંતા ચોક્કસ વધારી છે. સપ્ટેમ્બરના 26 દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાઇ ચૂક્યા છે. 

ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં 50 સહિત આ વર્ષે કુલ 54 આંચકા આવ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં એક જ વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ આંચકા છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 22  આંચકા સૌરાષ્ટ્ર, 20 આંચકા દક્ષિણ ગુજરાત, પાંચ આંચકા કચ્છ જ્યારે 3 આંચકા ઉત્તર ગુજરાતમાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંચકાનાં કારણો અલગ છે. આ પ્રદેશો દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરણ છે અને દખ્ખણ એક સ્થિર વિસ્તારો છે, તેથી દક્ષિણ ગુજરાત પણ એકંદરે સ્થિર પ્રદેશ છે. પરંતુ અહીં ચોમાસા પછી, જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઊતરે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહારની તરફ છોડે છે, ત્યારે તે ભૂકંપ મારફતે બહાર આવે છે.