Breaking News :
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા

મુંબઇમાં ભારે વરસાદથી 7ના મોત, થાણે- પાલઘરમાં રેડ એલર્ટ જાહેર

August 19, 2025

મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં 18-19 ઓગસ્ટ માટે રેડ એલર્ટ આપ્યુ છે.

આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે નાંદેડ જિલ્લામાં વાદળ ફાટ્યુ હતું જેમાં 200 થી વધુ લોકો ફસાયા હતા. તેઓને બહાર કાઢવા માટે એસડીઆરએફની મદદ લેવી પડી હતી. સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટિ આપી હતી કે અત્યાર સુધીમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.

મુંબઈના અંધેરી અને બોરીવલીમાં સૌથી વધારે વરસાદની અસર થઇ છે. અહીં 50 મીમીથી વધુ પાણી ભરાઈ ગયું છે. બોરીવલીથી ચર્ચગેટ સુધીના વિસ્તારોમાં આગામી થોડા કલાકોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે. બીજી તરફ કલ્યાણના જય ભવાની નગર વિસ્તારમાં નેતિવલી ટેકરી પર ભૂસ્ખલન થયુ હતું. વધુ પાણી ભરાઇ જવાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. લોકો સુધી  ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે. લોકોને સ્થળાંતરિત કરીને  રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે અહીં સેના અને NDRF ટીમો તૈનાત કરી છે.