સરકાર મદદ નહીં કરે તો અમે ઔરંગઝેબની કબર હટાવી દઈશું -બજરંગ દળનું અલ્ટીમેટમ
March 16, 2025
સંભાજીનગર : ઔરગઝેબની કબરનો વિવાદ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે બજરંગ દળે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, સરકાર સમય પહેલા ઔરંગઝેબની કબર હટાવી દે. જો સરકાર નહીં હટાવે તો કારસેવા કરીને તેને હટાવવામાં આવશે. બજરંગ દળના નેતા નિતિન મહાજને કહ્યું કે, સંભાજીનગરમાં છત્રપતિ સંભાજી મહારાજના હત્યારાની કલંકિત કબર છે અને તેને પૂજવામાં આવી રહી છે, તે કબરને હટાવવામાં આવે. મહાજને કહ્યું કે, સંભાજીનગરમાં (ઔરંગઝેબની કબર) કબરની પૂજા કરવામાં આવી રહી છે. સંભાજીની હત્યા કરનારની કબર બનાવવામાં આવી રહી છે. જ્યારે આવી કબરોની પૂજા કરવામાં આવે છે, ત્યારે સમાજનો વિકાસ પણ એ રીતે થાય છે.. તે સમયે આપણે લાચાર હતા, પરંતુ હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માંગ કરી રહ્યા છે કે તેને દૂર કરવામાં આવે. 17 માર્ચે અમે સરકાર પાસે માંગ કરીશું કે, કબરને દૂર કરવામાં આવે. જો સરકાર તેને દૂર કરે તો અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ જો તેમ નહીં થાય, તો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ રસ્તાઓ પર ઉતરી આવશે અને વિશાળ આંદોલન શરૂ કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે જાણીએ છીએ કે, જ્યારે હિન્દુ સમુદાય તેના અસ્તિત્વ અંગે આંદોલન કરે છે ત્યારે શું થાય છે, આપણે બધાએ જોયું કે બાબરી મસ્જિદને દૂર કરવા માટે અયોધ્યામાં શું થયું. જો સરકાર કબરને દૂર નહીં કરે, તો આપણે કારસેવા કરીશું. આ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને ગોશામહલના ધારાસભ્ય ટી.રાજા સિંહે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પત્ર લખીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબના જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ફાળવવામાં આવેલા અને ખર્ચવામાં આવેલા ભંડોળ અંગે વિગતવાર માહિતી માંગી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, આવેદન આપ્યા બાદ અમે પછી જોઈશું કે, સરકાર શું વિચાર કરીને પગલા લે છે. જો કબર હટાવવામાં નહીં આવે તો અમે પ્રજાને લઈને રસ્તા પર ઉતરી આંદોલન કરીશું. હિન્દુ સમાજ અસ્તિત્વ અને શૌર્ય માટે આંદોલન કરે છે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026