સરકાર મદદ નહીં કરે તો અમે ઔરંગઝેબની કબર હટાવી દઈશું -બજરંગ દળનું અલ્ટીમેટમ
March 16, 2025

સંભાજીનગર : ઔરગઝેબની કબરનો વિવાદ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે બજરંગ દળે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, સરકાર સમય પહેલા ઔરંગઝેબની કબર હટાવી દે. જો સરકાર નહીં હટાવે તો કારસેવા કરીને તેને હટાવવામાં આવશે. બજરંગ દળના નેતા નિતિન મહાજને કહ્યું કે, સંભાજીનગરમાં છત્રપતિ સંભાજી મહારાજના હત્યારાની કલંકિત કબર છે અને તેને પૂજવામાં આવી રહી છે, તે કબરને હટાવવામાં આવે. મહાજને કહ્યું કે, સંભાજીનગરમાં (ઔરંગઝેબની કબર) કબરની પૂજા કરવામાં આવી રહી છે. સંભાજીની હત્યા કરનારની કબર બનાવવામાં આવી રહી છે. જ્યારે આવી કબરોની પૂજા કરવામાં આવે છે, ત્યારે સમાજનો વિકાસ પણ એ રીતે થાય છે.. તે સમયે આપણે લાચાર હતા, પરંતુ હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માંગ કરી રહ્યા છે કે તેને દૂર કરવામાં આવે. 17 માર્ચે અમે સરકાર પાસે માંગ કરીશું કે, કબરને દૂર કરવામાં આવે. જો સરકાર તેને દૂર કરે તો અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ જો તેમ નહીં થાય, તો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ રસ્તાઓ પર ઉતરી આવશે અને વિશાળ આંદોલન શરૂ કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે જાણીએ છીએ કે, જ્યારે હિન્દુ સમુદાય તેના અસ્તિત્વ અંગે આંદોલન કરે છે ત્યારે શું થાય છે, આપણે બધાએ જોયું કે બાબરી મસ્જિદને દૂર કરવા માટે અયોધ્યામાં શું થયું. જો સરકાર કબરને દૂર નહીં કરે, તો આપણે કારસેવા કરીશું. આ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને ગોશામહલના ધારાસભ્ય ટી.રાજા સિંહે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પત્ર લખીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબના જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ફાળવવામાં આવેલા અને ખર્ચવામાં આવેલા ભંડોળ અંગે વિગતવાર માહિતી માંગી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, આવેદન આપ્યા બાદ અમે પછી જોઈશું કે, સરકાર શું વિચાર કરીને પગલા લે છે. જો કબર હટાવવામાં નહીં આવે તો અમે પ્રજાને લઈને રસ્તા પર ઉતરી આંદોલન કરીશું. હિન્દુ સમાજ અસ્તિત્વ અને શૌર્ય માટે આંદોલન કરે છે.
Related Articles
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઓફિસ બંધ રાખવાની ચીમકી
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્...
Jul 08, 2025
બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત, 11 ઈજાગ્રસ્ત
બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દ...
Jul 08, 2025
મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભાજપનું ટેન્શન! સરકારના મંત્રી જ પોલીસ પર વિફર્યા
મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભ...
Jul 08, 2025
મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઈન કર્યા
મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs...
Jul 08, 2025
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકે...
Jul 08, 2025
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1 મહિલાનું મોત, 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025

07 July, 2025