નીતિશ કુમાર મોદી સરકારથી ટેકો ખેંચે : અખિલેશ યાદવની અપીલ
October 11, 2024
લખનૌ : સમાજવાદી ચિંતક જય પ્રકાશ નારાયણની જયંતિ પર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રાજકીય માહોલ ગરમાયો છે. JPNICમાં જયપ્રકાશ નારાયણની મૂર્તિ પર માળા અર્પણ કરવાથી રોકવા પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે શુક્રવારે જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમારને મોદી સરકારથી ટેકો ખેંચવાની અપીલ કરી છે.
સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું કે 'ઘણા સમાજવાદી લોકો સરકારમાં છે અને સરકારને ચલાવવામાં મદદ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જય પ્રકાશ નારાયણ આંદોલનથી ઉભર્યા છે. આ નીતિશ કુમાર માટે તે સરકારથી સમર્થન પાછું લેવાની તક છે, જે કોઈ સમાજવાદીને જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની પરવાનગી આપી રહી નથી.
અખિલેશ યાદવે કહ્યું કે 'જો સિક્યોરિટી સંબંધિત કોઈ પણ ચિંતા છે તો તેમણે મને રોકવા માટે જે સુરક્ષા અહીં લગાવી છે, તેની સાથે મને જવા દેવો જોઈએ. ભાજપના હાથમાં વિનાશની રેખા છે. તેમના ચહેરા પર વિનાશકારી ભાવ નજર આવી રહ્યા છે. તે વિનાશકારી લોકો છે. તમે સીએમથી કેવી રીતે આશા કરી શકો છો કે તે મહાન હસ્તીઓનું સન્માન કરશે. તે જય પ્રકાશ નારાયણ અને તેમના યોગદાન વિશે શું જાણે છે. જો તેમને તેમના યોગદાન વિશે ખબર હોત તો જે બળ અમને રોકવા માટે અહીં તહેનાત કરવામાં આવી રહ્યું છે, તે બળ અમને શ્રદ્ધાંજલિ આપવાની સુવિધા આપત. આ બળને નવરાત્રિ પર તહેનાત કરવું જોઈએ નહીં. અમે જે પી નારાયણની જયંતિને મનાવીએ છીએ અને આ સરકાર અમને તેમને માળા પહેરાવવાથી રોકવાનો પ્રયત્ન કરી રહી છે. તે આ મ્યુઝિયમને વેચવાનું ષડયંત્ર કરી રહી છે અને તેથી તેમણે જેપીએનઆઇસીને ઢાંકી દીધું છે. જે જયપ્રકાશ નારાયણના સન્માનમાં બનાવાયેલા મ્યુઝિયમને વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે તે તમામથી રક્ષાની આશા કેવી રીતે કરી શકો છો.'
સમાજવાદી પાર્ટી સુપ્રીમોના નિવેદન પર જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'તેમણે આરોપ લગાવ્યો છે કે યુપી સરકારે તેમને જયપ્રકાશ નારાયણને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવાથી રોક્યા છે. સાથે જ તેમણે બિહારના સીએમ નીતિશ કુમારને આ આંદોલનના પ્રમુખ નેતા ગણાવ્યા છે અને તેમને ભાજપથી સમર્થન પાછું લેવા માટે કહ્યું છે. આ નિવેદન ચોંકાવનારું છે. જો અખિલેશ યાદવે લોકનાયક જયપ્રકાશ નારાયણના જીવનના મૂલ્યોનું થોડું પણ સન્માન કર્યુ હોત તો સમાજવાદી પાર્ટી પર એક પરિવારનું પૂર્ણ પ્રભુત્વ હોત નહીં.'
Related Articles
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં...
Feb 05, 2026
મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા
મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક...
Feb 05, 2026
1 વર્ષ બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું
1 વર્ષ બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટા...
Feb 04, 2026
અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ', ટ્રેડ ડીલ પર બોલ્યા સંજય રાઉત
અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમે...
Feb 04, 2026
ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ
ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહે...
Feb 04, 2026
SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને 'વોટ્સએપ આયોગ' ગણાવ્યું, ECI ને નોટિસ
SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી,...
Feb 04, 2026
Trending NEWS
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026