Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા

February 05, 2026

મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આજે (5 ફેબ્રુઆરી) એક ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં 16 શ્રમિકોના મોત અને અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ મહાનિદેશક આઈ.નોંગરાંગે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ‘થાંગસ્કૂ વિસ્તારમાં આવેલી કોલસાની ખાણમાં સવારે વિસ્ફોટ થયો છે. બચાવ ટુકડી ફસાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે કામગીરી કરી રહ્યા છે.’

તેમણે કહ્યું કે, ‘ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે ખાણમાં કેટલા શ્રમિકો હતા, તેની વિગતો સામે આવી નથી. ખાણની અંદર અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઈસ્ટ જૈતિયા હિલ્સના પોલીસ અધિક્ષક વિકાશ કુમારે કહ્યું કે, એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિ હોવાના કારણે તે યુવકને શિલોન્ગની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

કોલસાની ખાણમાં ખાણકામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હોવાની પોલીસને આશંકા છે. રિપોર્ટ મુજબ આ ખાણ ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. જ્યારે પોલીસે પૂછપરછ અને તપાસ કરી ત્યારે ખાણ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. જોકે વિસ્ફોટ થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તેની તપાસ કરવામાં આવશે.