લોકોને સરકારથી ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે : ભાજપ નેતાનું વિવાદિત નિવેદન
March 02, 2025
રાજગઢ : મધ્ય પ્રદેશના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ પટેલે રાજગઢમાં એક સભા દરમિયાન સરકાર પાસેથી મદદ માંગવાની લોકોની આદત પર સવાલ ઊઠાવ્યા છે. શનિવારે (પહેલી માર્ચ) સુઠાલિયામાં રાણી અવંતિ બાઈ લોધીની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે તેમણે કહ્યું કે, 'લોકો સરકાર પાસેથી ભીખ માંગવા ટેવાયેલા થઈ ગયા છે. લોકો નેતાઓને માળા પહેરાવે છે અને તેમની માંગણીઓ ધરાવતો પત્ર આપે છે.' હવે આના પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસ હવે આક્રમક બની ગઈ છે.
રાજગઢમાં રાણી અવંતિબાઈ લોધીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રહલાદ પટેલે લોકોને સંબોધિત કર્યા. તેમણે સરકાર પાસેથી વધુ પડતી મદદની અપેક્ષા રાખતા લોકો પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, 'લોકો નેતાઓને મળવા જાય છે, તેમને માળા પહેરાવે છે અને તેમને એક પત્ર આપે છે જેમાં તેમની માંગણીઓ લખેલી હોય છે. આ સારી આદત નથી.' મંત્રી પ્રહલાદ પટેલે જાહેર સભામાં જણાવ્યું 'મફત વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ એ બહાદુર મહિલાઓ માટે આદર નથી. સમાજ ફક્ત મૂર્તિઓ સ્થાપિત કરવાથી બદલાતો નથી, પરંતુ મહાપુરુષોના આદર્શોને અનુસરવાથી પરિવર્તન આવે છે. આ કાર્યક્રમમાં ઘણાં અન્ય નેતાઓ અને જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.'
મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા જીતુ પટવારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, 'ભાજપનો ઘમંડ હવે જનતાને ભિખારી કહી રહ્યો છે. આ દુ:ખમાં ડૂબેલા લોકોની આશાઓ અને આંસુઓનું અપમાન છે. તે ચૂંટણી દરમિયાન ખોટા વચનો આપે છે અને પછી પાછા ફરે છે. જ્યારે જનતા તેમને તેમના વચનોની યાદ અપાવે છે, ત્યારે તેઓ તેમને ભિખારી કહેવામાં અચકાતા નથી. યાદ રાખો કે થોડા સમય પછી, ભાજપના આવા ચહેરાઓ તમારા ઘરઆંગણે મત માંગવા આવશે.'
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026