ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચર, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
July 28, 2025
ગરૂ ગ્રહને નવગ્રહોમાં ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે, જેની કૃપાથી વ્યક્તિને જીવનમાં દરેક વસ્તુઓ મળે છે. ગુરૂ કૃપાથી વ્યક્તિનું મગજ તેજ થાય છે અને તેને ભાગ્યનો સાથ મળે છે. આ સિવાય લગ્ન અને સંતાન સુખ પણ ગુરૂ ગ્રહની કૃપાથી જ મળે છે. દ્રિક પંચાંગ અનુસાર, 28 જુલાઈ, 2025ના દિવસે સવારે 9:33 વાગ્યે ગુરૂદેવ મિથુન રાશિમાં રહીને આર્દ્રા નક્ષત્રના તૃતીય પદથી કાઢીને ચતુર્થ પદ પર પગલું મૂકશે.
આર્દ્રા નક્ષત્રના કુલ ચાર પદ હોય છે, જેનું પોતાનું મહત્ત્વ હોય છે. બુધને આર્દ્રા નક્ષત્રના ચતુર્થ પદનો સ્વામી માનવામાં આવે છે, જે જ્ઞાન અને વિસ્તારનો ગ્રહ છે. ચાલો જાણીએ ગુરૂના આ પદ ગોચરથી કઈ ત્રણ રાશિના જીવનમાં બદલાવનો યોગ છે.
વૃષભઃ
ગુરૂના આર્દ્રા નક્ષત્રના ચતુર્થ પદમાં ગોચર કરવાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં ખુશી આવશે. અમુક લોકોની કોમ્યુનિકેશન સ્કિલમાં સુધારો થશે, તેમજ અમુક લોકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોને સામાજિક મેળમિળાપમાં વૃદ્ધ જોવા મળશે, જેનાથી આવનારા સમયમાં લાભ થશે. આ સિવાય અનેક ડીલ મળવાના કારણે કારોબારના કામનું પણ વિસ્તરણ થશે. જોકે, જે જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે, તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી રાહત મળશે.
મિથુનઃ
ગુરૂની બદલતી ચાલથી મિથુન રાશિના જાતકોની કિસ્મતનો દરવાજો ખુલશે. નોકરી કરી રહેલા જાતકોને સિનિયરનો સહયોગ મળશે અને સમયસર ટાર્ગેટ પૂરો થશે. ભાગીદારીમાં ડીલ સાઇન થઈ શકે છે, જેનાથી વ્યાપારી વર્ગના ધંધાનો વિસ્તાર થશે. વડીલોને સમાજમાં માન-સન્માન મળશે. આ સિવાય ઘરના લોકો વચ્ચે ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવશે અને સ્વાસ્થ્યનો સાથ મળશે.
તુલાઃ
તુલા રાશિના જાતકોના વેપારી વર્ગને ગુરૂ કૃપાથી નફામાં વધારો થશે. કારકિર્દીમાં તરક્કી મળવાથી નોકરી કરી રહેલા જાતકોનું મન પ્રસન્ન રહેશે. પરિણીત લોકોના પરિવારમાં સંબંધ સુધરશે. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશે. જે વડીલ કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
Related Articles
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026