આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
September 11, 2026
જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે ન્યાયના દેવતા શનિ અને મનના કારક ચંદ્ર એક સાથે આવે છે, ત્યારે અત્યંત સંવેદનશીલ અને કષ્ટકારી વિષ યોગનું નિર્માણ થાય છે. તારીખ 11 સપ્ટેમ્બર 2026 ની રાતથી આ અશુભ યોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. શનિ અને ચંદ્રની આ યુતિ માનસિક તણાવ અને અશાંતિ પેદા કરે છે.
ચંદ્ર કર્ક રાશિના સ્વામી છે, તેથી આ વિષ યોગની સૌથી વધુ અસર આ રાશિના જાતકોની માનસિક શાંતિ પર પડશે. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે જરાય બેદરકારી દાખવવી નહીં, વિશેષ કરીને અનિદ્રા અથવા પેટ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. પરિવારમાં કોઈ વાતને લઈને ગેરસમજ વધી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે, તેથી આર્થિક બાબતોમાં સાવધ રહેવું અનિવાર્ય છે.
ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચના માનવામાં આવે છે, જેના કારણે શનિ-ચંદ્રનો આ પ્રભાવ તમારા માટે ભાવનાત્મક રીતે ખૂબ જ કઠિન સમય લાવી શકે છે. બનતા કામો અચાનક અટકી જવાની સંભાવના છે, જેનાથી ધૈર્ય ન ગુમાવવું. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું અને ઓફિસની રાજનીતિથી પોતાને દૂર રાખવા. માતાજીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું મહત્ત્વપૂર્ણ છે.
વિષ યોગનો સીધો પ્રભાવ તમારી પોતાની રાશિ પર જોવા મળી શકે છે. માનસિક તણાવ, ચિંતા અને અજ્ઞાત ભય તમને પરેશાન કરી શકે છે. કોઈપણ મોટો નિર્ણય લેવાનું ટાળવું અથવા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે વિના કારણની દલીલોથી દૂર રહેવું. નાણાકીય બાબતોમાં કોઈપણ પ્રકારનું જોખમ ન ઉઠાવવું અને વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.
આ અશુભ યોગના નકારાત્મક પ્રભાવથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે. દરરોજ ઓછામાં ઓછા 108 વાર ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો, કારણ કે શિવજીની આરાધનાથી ચંદ્ર અને શનિ બંને શાંત થાય છે. દરરોજ અથવા વિશેષ કરીને સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળમાં થોડું કાચું દૂધ અને કાળા તલ મિલાવીને અર્પણ કરવા. હનુમાનજીની પૂજા કરવાથી શનિ દેવના કોઈપણ પ્રકારના દુષ્પ્રભાવનો નાશ થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
Related Articles
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, બમ્પર ધન લાભની શક્યતા!
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જા...
Jun 20, 2026
Trending NEWS
08 September, 2026
08 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026