ફડણવીસ સરકારના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ, 39 MLAએ લીધા શપથ

December 15, 2024

નાગપુર : મહારાષ્ટ્રમાં આજે (15 ડિસેમ્બર, 2024) દેવેન્દ્ર ફડણવીસ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. નાગપુરના રાજભવનમાં શપથગ્રહણ સમારોહ આયોજિત કરાયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણનો કાર્યક્રમ નાગપુરમાં યોજાયો હતો. જેમાં ભાજપના ખાતામાં 19 ધારાસભ્ય મંત્રી બન્યા. આ સિવાય શિવસેનાના કોટાથી 11, જ્યારે એનસીપીના કોટાથી 9 ધારાસભ્યોએ શપથ લીધા છે. આમ કુલ 39 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે.

- ભાજપના 19 મંત્રી
ચંદ્રશેખર બાવનકુલે (ભાજપ)
પંકજા મુંડે (ભાજપ)
મંગલ પ્રભાત લોઢા (ભાજપ)
ગણેશ નાઈક (ભાજપ)
ગિરીશ મહાજન (ભાજપ)
જય કુમાર રાવલ (ભાજપ)
અતુલ સાવે (ભાજપ)
અશોક ઉઇકે (ભાજપ)
આશિષ શેલાર (ભાજપ)
ચંદ્રકાંત પાટીલ (ભાજપ)
શિવેન્દ્ર રાજે ભોસલે (ભાજપ)
જય કુમાર ગોર (ભાજપ)
સંજય સાવકરે (ભાજપ)
નિતેશ રાણે (ભાજપ)
માધુરી મિસાલ (ભાજપ)
રાધાકૃષ્ણ વિખે (ભાજપ)
પંકજ ભોયર (ભાજપ)
મેઘના બોર્ડિકર (ભાજપ)
આકાશ પુંડકર (ભાજપ)
શિવસેનાના 11 મંત્રી

દાદા દગડુ ભુસે (શિવસેના-શિંદે)
સંજય રાઠોડ (શિવસેના-શિંદે)
ગુલાબરાવ પાટીલ (શિવસેના-શિંદે)
ઉદય સામંત (શિવસેના-શિંદે)
સંજય શિરસાટ (શિવસેના-શિંદે)
પ્રતાપ સરનાઈક (શિવસેના-શિંદે)
ભરત ગોગાવલે (શિવસેના-શિંદે)
શંભુરાજ દેસાઈ (શિવસેના-શિંદે)
આશિષ જાયસ્વાલ (શિવસેના-શિંદે)
યોગેશ કદમ (શિવસેના-શિંદે)
પ્રકાશ આબિટકર (શિવસેના-શિંદે)
એનસીપીના 9 મંત્રી

ધનંજય મુંડે (એનસીપી-અજિત)
હસન મુશ્રિફ (એનસીપી-અજિત)
દત્તાત્રેય ભરણે (એનસીપી-અજિત)
માણિક રાવ કોકાટે (એનસીપી-અજિત)
નરહરિ ઝિરવાલ (એનસીપી-અજિત)
અદિતિ તટકરે (એનસીપી-અજિત)
મકરંદ જાધવ પાટીલ (એનસીપી-અજિત)
ઇન્દ્રનીલ નાઇક (એનસીપી-અજિત)
બાલા સાહેબ પાટિલ (એનસીપી-અજિત)