ફરી એક થશે ઠાકરે બંધુ? મુલાકાત બાદ અટકળો તેજ, ભાજપનું વધશે ટેન્શન
February 24, 2025
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) અને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ (Uddhav Thackeray) ઠાકરે વચ્ચે એક લગ્ન સમારોહમાં મુલાકાત થઈ છે. અંધેરી વિસ્તારમાં એક સરકારી અધિકારી મહેન્દ્ર કલ્યાણકરના પુત્રના રવિવારે લગ્ન યોજાયા હતા, જેમાં બને નેતાઓ સાથે દેખાતા રાજકારણમાં નવી અટકળો શરૂ થઈ ગઈ છે. મુલાકાત બાદ એવું કહેવાય છે કે, બંને નેતાઓ કોર્પોરેશનની ચૂંટણી પહેલા પોતાના રાજકીય મતભેદો સુધારવાના પ્રયાસો કરી શકે છે. ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેના પિતરાઈ ભાઈ છે અને બંને ભાઈઓ આંતરિક મતભેદના કારણે રાજકીય રૂપે અલગ થઈ ગયા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) બંને ગઠબંધનમાં તિરાડ પડી હોવાના અફવાઓ ચાલતી રહી છે, ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાતા થયા બાદ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે, જેને ધ્યાને રાખી મનસે અને શિવસેના યુબીટી પોતાના રાજકીય મતભેદોનો નિવેડો લાવવા માગતા હોવાની સંભાવના છે. જોકે નાગરિક સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો નથી.
ઉલ્લેખનીય છે કે, બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત જાહેર મુલાકાત થઈ છે, જેના કારણે બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો હોવાની અટકળો વહેતી થઈ છે. વર્ષ 2005માં રાજ ઠાકરેએ શિવસેના છોડી દીધી હતી અને બીજા જ વર્ષે પોતાની પાર્ટી બનાવી હતી. ગત વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિપક્ષી MVAના સાથી શિવેસના યુબીટીએ 20 બેઠકો જીતી હતી, જ્યારે મનસે એક પણ બેઠક જીતી શક્યું ન હતું.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026