'મહિલાઓને એક હત્યાની છૂટ હોવી જોઈએ', શરદ પવારની પાર્ટીના મહિલા નેતાનો રાષ્ટ્રપતિને પત્ર
March 09, 2025
દિલ્હી : એનસીપી (શરદ પવાર જૂથ)ની મહિલા શાખાના અધ્યક્ષ રોહિણી ખડસેએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પત્ર લખ્યો છે. જેમાં તેમણે માંગ કરી છે કે મહિલાઓને તેમના પર થતાં અત્યાચાર વિરુદ્ધ લડવા માટે એક હત્યાની છૂટ આપવી જોઈએ. નોંધનીય છે કે શરદ પવારની પાર્ટીની મહિલા શાખાના અધ્યક્ષ રોહિણી ખડસેએ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે પર આ પત્ર રાષ્ટ્રપતિને લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મહિલાઓ પર દમનકારી માનસિકતા, દુષ્કર્મ વાળી માનસિકતા અને નિષ્ક્રીય કાયદો વ્યવસ્થાની પ્રવૃત્તિને ખતમ કરવા ઈચ્છે છે.
આ પત્ર મુંબઈમાં 12 વર્ષની સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના સંદર્ભમાં લખ્યો છે. તેમની માંગ છે કે ભારતમાં મહિલાઓ વિરુદ્ધ ગુના વધી રહ્યા છે તેથી આત્મરક્ષા માટે એક હત્યાની અનુમતિ આપવી જોઈએ. ખડસેએ પત્રમાં લખ્યું છે કે, 'અમે તમામ મહિલાઓ તરફથી એક હત્યાની છૂટની માગ કરી રહ્યા છીએ.' આ પત્રનો ઉદ્દેશ્ય રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કરવાનો છે. તેમણે એક સર્વે રિપોર્ટનો પણ હવાલો આપ્યો છે, જેમાં જણાવાયું છે કે, ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ છે, કારણ કે મહિલાઓ વિરૂદ્ધ અપહરણ અને ઘરેલૂ હિંસા સહિતના અનેક ગુના થઈ રહ્યા છે.
ખડસેએ કહ્યું કે, 'અમને આશા છે કે, અમારી માગ પર ગંભીરતાથી વિચાર કર્યા બાદ તેનો સ્વીકાર કરી લેવાશે. બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી ગુલાબરાવ પાટિલે શનિવારે સલાહ આપી કે, મહિલાઓએ પોતાના પર્સમાં લિપસ્ટિકની સાથે મરચાંનો પાઉડર અને રામપુરી છરી પણ રાખવી જોઈએ.'
Related Articles
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું...
Mar 30, 2026
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છૂટછાટ
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિ...
Mar 30, 2026
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા? મોઇત્રાના નિવેદન બાદ વિવાદ
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું...
Mar 29, 2026
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા...
Mar 29, 2026
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળ...
Mar 29, 2026
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા, અખિલેશના પ્રહારો
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બં...
Mar 29, 2026
Trending NEWS
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
28 March, 2026
28 March, 2026