1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન
March 08, 2026
વાઘા સેક્ટરમાં દુશ્મનોના હુમલા વચ્ચે બજાવી હતી ફરજ
કોટ્ટાયમ : કેરળના કોટ્ટાયમમાં રહેતા અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના બહાદુર સૈનિક લાન્સ હવાલદાર (નિવૃત્ત) કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે સવારે ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમણે પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ફેબ્રુઆરી 1931માં જન્મેલા જ્યોર્જે યુદ્ધ દરમિયાન ભારતીય સેનામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય સેનાની કોર્પ્સ ઓફ સિગ્નલ્સ યુનિટમાં તૈનાત કે.જી. જ્યોર્જે 1965ના યુદ્ધમાં અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. 6થી 10 સપ્ટેમ્બર 1965 દરમિયાન વાઘા સેક્ટરમાં દુશ્મન દેશ દ્વારા સતત ગોળીબાર અને હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને ક્ષતિગ્રસ્ત થયેલી કોમ્યુનિકેશન લાઈનોને વારંવાર રીપેર કરી હતી. 8 અને 9 સપ્ટેમ્બરની રાત્રે ભારે હુમલા વચ્ચે તેમણે પોતાના જીવના જોખમે બ્રિગેડ હેડક્વાર્ટર અને સરહદ પર તૈનાત બટાલિયન વચ્ચે સંપર્ક સ્થાપિત કર્યો હતો. આ બહાદુરી માટે તેમને પ્રતિષ્ઠિત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Related Articles
લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઈકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ
લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઈ...
Mar 09, 2026
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના DyCM બનશે
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા...
Mar 08, 2026
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન'- મમતા પર મોદીના પ્રહાર
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું...
Mar 08, 2026
ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, હવે ઘેરબેઠાં કરી શકાશે ઑનલાઇન આવેદન
ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, હવે...
Mar 07, 2026
કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પ...
Mar 07, 2026
દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અંગે ચિંતિત, કહ્યું - સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે
દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અ...
Mar 07, 2026
Trending NEWS
09 March, 2026
09 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026