AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
April 24, 2026
ચંદીગઢ ઃ આમ આદમી પાર્ટી હાલ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. AAPના ટોચના નેતા રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ સહિત સાત સાંસદો કેજરીવાલનો સાથ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે, જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે AAPના ટેન્શનમાં વધારો કરતો દાવો કર્યો છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે દાવો કર્યો છે કે, માત્ર સાત સાંસદો જ નહીં, 50 ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. તેમણે કહ્યું કે, જ્યારે પૈસા વિચારધારા પર હાવી થાય, ત્યારે આવું જ થાય છે.
પંજાબ કોંગ્રેસના નેતા વડિંગએ કહ્યું કે, હું તો એમ કહ્યું છું કે, આમ આદમી પાર્ટી સાવધાન રહે. એવું ન બને કે, તમારા 50 ધારાસભ્યો એક જ દિવસમાં પક્ષ બદલી નાખે. આ તો માત્ર સાંસદો ગયા છે. જ્યારે પાર્ટી કોઈપણ નિયમો બનાવ્યા વગર નિર્ણયો લે છે, પાર્ટી પાસે વિચારધારા હોતી નથી અને તમે નાણાં લઈને રાજ્યસભા મેમ્બર બનાવી તેઓ પાસે કામની મદદ લો છો, તો પક્ષપલટો થવો સ્વાભાવિક છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘મને ચિંતા છે કે, કંઈક આવી જ રીતે ધારાસભ્યો ન ભાગી જાય. કારણ કે અનેક ધારાસભ્યોને ડર છે, કેટલાક પાર્ટીથી નારાજ છે. હું સમજું છું કે, આમ આદમી પાર્ટી સાથે જે બન્યું તે જોઈને અન્ય પક્ષોએ શીખવું જોઈએ. પાર્ટી છોડનારા આ સાંસદોને પંજાબમાં કોઈ ઓળખતું નથી. જ્યારે તેમને સાંસદ બનાવાયા હતા તો લોકોએ તેમના નામ પણ સાંભળ્યા ન હતા. રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકને પંજાબ સાથે કોઈ લેવાદેવા નથી, જ્યારે સૈની દિલ્હીમાં રહે છે.
Related Articles
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ...
Apr 24, 2026
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ...
Apr 24, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદ...
Apr 24, 2026
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે...
Apr 23, 2026
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખ...
Apr 21, 2026
ટ્રેડ ડીલને આખરી ઓપ આપવા ભારતનું પ્રતિનિધિમંડળ અમેરિકા જશે, રાજદૂત સર્જિયો ગોરે આપી માહિતી
ટ્રેડ ડીલને આખરી ઓપ આપવા ભારતનું પ્રતિનિ...
Apr 21, 2026
Trending NEWS
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
21 April, 2026