Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પરિવારની કાર ખાઈમાં ખાબકતા 6ના મોત, 4ના મોત

May 11, 2026

હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ભયાનક અકસ્માત નડ્યો હતો. ચંબા-નૂરપુર નેશનલ હાઈવે પર તુનુહટ્ટી વિસ્તારના કાકીરા ધાર પાસે ધર્મશાલાથી જઈ રહેલી એક કાર અનિયંત્રિત થઈને લગભગ 150 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પરિવારના 6 સભ્યોના મોત થયા હતા, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના સમયે વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે રસ્તો લપસણો બની ગયો હતો. ખરાબ હવામાન અને લપસણા રસ્તાના કારણે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા આ કરૂણ હોનારત સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

સ્થાનિકોએ અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પોલીસ ટીમ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધોધમાર વરસાદ વચ્ચે રાહત કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 4 પ્રવાસીઓને સારવાર માટે તાત્કાલિક ટાડા મેડિકલ કોલેજ કાંગડા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં લલિત ફતનાની, સોનિયાબેન, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીનો સમાવેશ થાય છે. જ્યારે ઇજાગ્રસ્તોમાં મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશીનો સમાવેશ થાય છે. ભાવનગરનો આ સિંધી પરિવાર હિમાચલના કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસે નીકળ્યો હતો, પરંતુ પરત ફરતી વખતે કુદરતે આ પરિવાર પર કહેર વર્તાવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.