Syriaમાં તમામ ભારતીયો સુરક્ષિત, દમાસ્કસ દૂતાવાસ રહેશે ચાલુ, વિદેશ મંત્રાલયે આપી સલાહ
December 09, 2024
સીરિયાની રાજધાની દમિશ્કમાં વિદ્રોહી જૂથોએ પર કબજો જમાવ્યો હોવાના અહેવાલો વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને દૂતાવાસ તેમની મદદ માટે ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યું કે યુદ્ધગ્રસ્ત સીરિયાની રાજધાની દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ કાર્યરત છે અને તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ દરમિયાન ઈસ્લામવાદી આગેવાની હેઠળના વિદ્રોહીએ આજે કહ્યું કે તેઓએ સીરિયાને બશર અલ-અસદના શાસનમાંથી મુક્ત કરાવ્યું છે.
આ પહેલા વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરીમાં હિંસા પ્રભાવિત દેશમાં રહેતા ભારતીયોને શક્ય હોય તો ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા શક્ય તેટલી વહેલી તકે નીકળી જવા જણાવ્યું હતું. રાજધાની દમાસ્કસમાં વિદ્રોહી પ્રવેશ કરે તે પહેલા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
આ પહેલા વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપી હતી. આ સાથે સીરિયામાં હાજર ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસનો ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 (વોટ્સએપ પર પણ) ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026