Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી માર દેંગે કહીને મુંબઈમાં ગુજરાતી જ્વેલર્સને ધમકી

February 25, 2026

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય હોવાનો દાવો કરીને ‘બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી ચૌબીસ ઘંટે મેં માર દેંગે’ એવી ધમકી સાથે બોરીવલી-વેસ્ટના એલ. ટી. રોડ પર દાગીનાની દુકાન ધરાવતા એક ગુજરાતી જ્વેલર પાસેથી ૩૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો ગંભીર બનાવ બન્યો છે.  ૧૮ ફેબ્રુઆરીએ સવારે દુકાનના સત્તાવાર મોબાઇલ-નંબર પર આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો જેમાં ખંડણીની માગણી સાથે પૈસા ન આપ્યા તો જાનથી મારી નાખવાની ચેતવણી આપવામાં આવી હતી.

બોરીવલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મધુસૂદન નાઈકે જણાવ્યું કે, લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી આપવામાં આવી હતી અને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું એવી ભાષાનો ઉપયોગ કરાયો હતો. ૧૯ ફેબ્રુઆરીએ સવારે ૧૧.૧૮ વાગ્યે ફરી એ જ આંતરરાષ્ટ્રીય નંબર પરથી વૉટ્સઍપ-કૉલ આવ્યો હતો અને ફોન ઉપાડતાં અજાણી વ્યક્તિએ ફરી ખંડણીની માગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વાતચીત રેકૉર્ડ કરવી હોય તો કરવાની પણ ખુલ્લી ચૅલેન્જ આપી હતી. ત્યાર બાદ ૨૦ ફેબ્રુઆરીએ વહેલી સવારે ફરી પાછો ધમકીભર્યો મેસેજ આવ્યો હતો જેમાં પૈસા ન આપ્યા તો ગોળી મારવાની ચેતવણી આપવામાં આવી હતી. 

શરૂઆતમાં દુકાન તરફથી ૧ લાખ રૂપિયા આપવાનો સંકેત આપવામાં આવ્યો હતો પરંતુ સામેની વ્યક્તિએ ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી અને ચર્ચા દરમ્યાન ૪ લાખ રૂપિયામાં માંડવલી થઈ હતી અને ગૂગલપે મારફત ૧ લાખ રૂપિયા મોકલવાની સૂચના આપવામાં આવી હતી. અંતે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ્વેલરે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય નંબર તથા ડિજિટલ ટ્રાન્ઝૅક્શનની વિગતના આધારે તપાસ શરૂ કરી છે.’