મોટી દુર્ઘટના ટળી: એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર

October 07, 2025

એર ઈન્ડિયાનું એક વિમાન અકસ્માતનો ભોગ બનતા માંડ-માંડ બચ્યું. મંગળવારે (7 ઓક્ટોબર) કોલંબો-ચેન્નઈની ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાઇ ગયું હતું, જેના કારણે એરલાઇને પોતાની વાપસી યાત્રા રદ કરવી પડી હતી. આ સિવાય ઇન્ડિગોની એક ફ્લાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાની ચેન્નઈથી કોલંબો જતી ફ્લાઇટ AI-273 (A320 VT-TNH) સાથે એક પક્ષી અથડાયું હતું. આ ઘટના રાત્રે આશરે 1:55 વાગ્યે કોલંબો એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થઈ હતી. જોકે, આ ઘટના બાદ તેને સામાન્ય ગણી પણ વિમાનને ઉડાન માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું. ત્યાર બાદ જ્યારે આ જ વિમાન AI-274ના રૂપે સવારે 4:34 વાગ્યે કોલંબોથી ચેન્નઈ પરત ફરી રહ્યું હતું તો ટેક્નિકલ ટીમે રૂટીન તપાસ કરી, જેમાં ફેન બ્લેડમાં નુકસાન જોવા મળ્યું.