Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપ્યું

January 06, 2025

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અવારનવાર ભારત પર ગંભીર આક્ષેપ કરતા રહ્યા છે, ત્યારે હવે તેમણે આ આક્ષેપો અને ટીકા કરવી ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતા અહેવાલો મુજબ ટ્રુડો વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની સરકાર અને વ્યક્તિગત આલોચના વચ્ચે આ નિર્ણય લીધો છે. 

દેશને કરેલા સંબોધનમાં ટ્રુડોએ રાજીનામું આપવાનું જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમણે પોતાની પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે, સંસદનું કામ 24 માર્ચ સુધી સ્થગીત રહેશે અને ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી કરશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કેનેડાના કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી સંભાળતા રહેશે.

 ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 53 વર્ષના ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કરવામાં આવ્યા બાદ હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરું છું.’