દેવઉઠી અગિયારસ પર બની રહ્યો છે દિવ્ય સંયોગ, આ પાંચ રાશિના જાતકો પર થશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
November 11, 2024

દેવઉઠી અગિયારસના દિવસે આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે સાથે શશ રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ ખૂબ જ દુર્લભ યોગ છે કે, દેવઉઠી અગિયારસ પર શનિ તેની મૂળત્રિકોણ રાશિ કુંભ રાશિમાં ગોચર કરી શશ રાજયોગ રચી રહ્યા છે. આ રાશિમાં શનિ પણ 4 દિવસ પછી માર્ગી થઈ જશે. આ શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુ ચાતુર્માસના યોગ નિદ્રામાંથી જાગી જશે અને વૃષભ અને તુલા રાશિ સહિત 5 રાશિઓને વિશેષ કૃપા વરસાવશે. તેમના જીવનમાં નવી આવકની તકો ખુલશે અને તેમનું પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. આવો જાણીએ કે, આ કઈ 5 રાશિઓ છે જેમને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થવાની છે.
મેષ રાશિ : અટવાયેલા પૈસા મળી શકે છે
મેષ રાશિના લોકોનું ભાગ્ય દેવપ્રબોધિની એકાદશી પર ચમકવાનું છે. અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને ટુંક જ સમયમાં માલામાલ કરી દેશે. તમે વેપાર ધંધામાં સારી આવક મેળવશો અને તમારી કારકિર્દીમાં પ્રગતિની શુભ તકો છે. તમને ક્યાંકથી કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમને ક્યાંક અટવાયેલા પૈસા પણ મળી શકે છે. તમેજ જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ યોગ્ય તક મળી શકે છે.
વૃષભ રાશિ : જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે.
વૃષભ રાશિના લોકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. તમારા જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે અને તમને તમારા કરિયરમાં અચાનક સફળતા પ્રાપ્ત થશે. તમને કેટલીક નવી અને ઉત્તમ નોકરીની તકો પણ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નોકરીમાં તમારા માટે પ્રમોશનની સંભાવના મળે. તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે અને દરેક લોકો સાથે તમારા પરસ્પર સંબંધો સુધરશે.
તુલા રાશિ: તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે.
તુલા રાશિના લોકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે અને તમે પ્રગતિ કરી શકશો. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળે. આ સાથે તમારા જૂના રોકાણો વધુ સારા પરિણામો આપશે અને તમને નાણાકીય બાબતોમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. જે કામ લાંબા સમયથી એટકેલુ હતું, તે હવે શ્રી હરિની કૃપાથી પૂર્ણ થશે. વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. આ સાથે તમને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : 'અયોધ્યાને હચમચાવી નાખીશું...' ખાલિસ્તાની આતંકી પન્નુની રામમંદિરને ઉડાવી દેવાની ધમકી
ધનુ રાશિ : આવકના નવા સ્ત્રોત મળશે
ધનુ રાશિના લોકોનું કિસ્મત ખુલી જશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જીવનમાં પ્રગતિની તકો મળશે. જૂનુ દેવુ ચુકવવામાં સફળતા પ્રાપ્ત થાય. તમારા વ્યવસાયમાં રોકાણ વધારવા માટે તમારા માટે આ ખૂબ જ સારી તક છે. ભવિષ્યમાં તમને બમણો નફો મળી શકે છે. તમને આવકના નવા સ્ત્રોત મળશે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. અધિકારી વર્ગ તમારા કામથી ખુશ રહેશે.
મીન રાશિ : જૂની લોન ચુકવવામાં તમને સફળતા મળશે.
મીન રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય. તમારો વ્યવસાય વિસ્તરશે અને કમાણીનાં નવા સ્ત્રોત મળી રહે. જે લોકો નોકરી કરે છે, તેઓની પ્રગતિ થાય અને તમારી જૂની લોન ચૂકવવામાં સફળતા મળે. તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે અને આવકના નવા સ્ત્રોત મળશે. જો તમારું બાળકના કરિયરમાં કોઈ મોટી સફળતા મળવાથી તમારું નામ રોશન થાય.
Related Articles
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, મ...
Jun 30, 2025
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, આવતીકાલથી શરુ થશે સારા દિવસો
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભા...
Jun 10, 2025
અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ
અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,...
Jun 01, 2025
3 દિવસ બાદ મેષ રાશિમાં શુક્રનો થશે પ્રવેશ, આ રાશિના જાતકોની થશે 'ચાંદી જ ચાંદી'
3 દિવસ બાદ મેષ રાશિમાં શુક્રનો થશે પ્રવે...
May 28, 2025
આજે શનિજયંતી અને સોમવતી અમાસ:મેષ સહિત ત્રણ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ, વિશેષ પૂજા કરવી
આજે શનિજયંતી અને સોમવતી અમાસ:મેષ સહિત ત્...
May 26, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

29 June, 2025