Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

જેલમાંથી બહાર આવીને અલ્લુ અર્જુને કહ્યુ, જે થયુ તેના માટે સોરી

December 14, 2024

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરલા ચંદ્રશેખર તેમને રિસીવ કરવા પહોંચ્યા હતા. અલ્લુ અર્જુનના ફેન્સ તેની રિલીઝથી ઘણા ખુશ છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે તેના ઘરે પહોંચી ગયો છે. ઘરે પહોંચીને તેણે તમામ ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો.

જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું- ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદામાં માનું છું. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી હું વચ્ચે ટિપ્પણી નહીં કરું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું પોલીસને સહકાર આપીશ. પીડિત પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું- જીવ ગુમાવનાર મહિલાના પરિવાર પ્રત્યે મારી સંવેદના. આ એક કમનસીબ ઘટના હતી. હું પરિવારને દરેક સંભવિત રીતે ટેકો આપવા અને આ મુશ્કેલ સમયમાં તેમને શક્ય તમામ ટેકો આપવા માટે હાજર રહીશ.