કોવિડ વેક્સિનથી કેટલા લોકોનો જીવ બચ્યો? રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
July 29, 2025
કોવિડ-19 મહામારીએ વિશ્વભરમાં લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું હતું. વર્ષ 2019ના અંતમાં ચીનના વુહાનથી ફેલાયેલો આ વાયરસ આજે પણ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી અને સમયાંતરે તેના નવા વેરિઅન્ટ્સ સંક્રમણ ફેલાવતા રહે છે. 2020માં કોવિડની વેક્સિન બન્યા પછી મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ થયું, જેમાં અબજો લોકોને વેક્સિન આપવામાં આવી. જોકે વેક્સિનની અસરકારકતા અને તેનાથી હાર્ટ એટેકના વધતા કેસ અંગે સવાલો ઉઠ્યા હતા, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા. હવે એક નવા અભ્યાસમાં કોવિડ વેક્સિનથી બચેલા લોકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. સાયન્સ ડેઇલીના રિપોર્ટ મુજબ, 2020થી 2024 દરમિયાન કોવિડ-19 વેક્સિનના કારણે વિશ્વભરમાં અંદાજે 25.33 લાખ લોકોના જીવ બચાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ ઇટાલીની યુનિવર્સિટા કેટોલિકા અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધન પર આધારિત છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સરેરાશ દર 5400 વેક્સિન ડોઝથી એક મૃત્યુ ટાળી શકાયું. આ સંશોધન JAMA Health Forum નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વેક્સિનનો સૌથી વધુ ફાયદો થયો છે, જેનાં કારણે 90% મૃત્યુ ટાળી શકાયા છે. બચાવવામાં આવેલા કુલ 1.48 કરોડ લોકોમાંથી 76% વૃદ્ધો હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. તેમજ ઓમિક્રોન વેરિઅન્ટના સમયગાળા દરમિયાન, 57% મૃત્યુ વેક્સિનને કારણે ટાળી શકાયા છે. બચાવવામાં આવેલા લોકોની સંખ્યામાં 0 થી 19 વર્ષની ઉંમરના બાળકો અને કિશોરોની સંખ્યા માત્ર 0.01% રહી, જ્યારે 20 થી 29 વર્ષના યુવાનોમાં 0.07% મૃત્યુ ટાળી શકાયા. આનું કારણ એ છે કે આ ઉંમરના લોકોમાં કોવિડ-19થી મૃત્યુનું જોખમ ઓછું હતું. આ અભ્યાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિડ વેક્સિને વિશ્વભરમાં લાખો લોકોના જીવ બચાવવામાં અને મહામારીના ભયાવહ પ્રભાવને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026