ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ

February 17, 2026

હરિયાણાના ફરીદાબાદના સેક્ટર 24 સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે ભીષણ આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં લગભગ 35થી વધારે લોકો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં 3 પોલીસકર્મી અને 2 ફાયર વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જે રાહત અને બચાવ કામગીરી દરમિયાન આગની ઝપેટમાં આવ્યા હતા.

દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. ઘાયલ થયેલા લોકોમાંથી ઘણા લોકોને સિવિલ હોસ્પિટલમાં અને ઘણા લોકોને ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ લોકો ડોક્ટરની દેખરેખ હેઠળ છે.

બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટરીની બહાર ઉભા રહેલા 8-10 વાહન પણ બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે કેસ દાખલ કરીને આગ લાગવાનું અને બ્લાસ્ટ થવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. જે કંપનીમાં આગ લાગી છે તેનું નામ કાલકા જી લુબ્રિકેન્ટ કંપની છે. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને તેના કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.