જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
September 06, 2025
રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો
જમ્મુ : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે રોષે ભરાયેલી ભીડે તોડફોડ કરી હતી. આ ભીડનો આક્રોશ દરગાહની અંદર સ્થાપિત શિલાલેખ પર રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ અંકિત હોવાના કારણે હતો. લોકો શિલાલેખ પરથી અશોક સ્તંભને એકેશ્વરવાદ અને ઈસ્લામની ભાવનાની વિરુદ્ધ ગણાવતા તેને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર વક્ફ બોર્ડના અધ્યક્ષ દરખ્શાં આંદ્રાબીએ તોડફોડ કરનારાઓ સામે FIR દાખલ કરી છે અને PSA હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.
વક્ફ બોર્ડના અધ્યક્ષે આ સમગ્ર વિવાદ માટે શાસક નેશનલ કોન્ફરન્સને જવાબદાર ઠેરવી છે. તેમણે એમ પણ કહ્યું કે, જો FIR દાખલ કરીને કાર્યવાહી કરવામાં ન આવે તો હું ભૂખ હડતાળ પર ઉતરી જઈશ. આંદ્રાબીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો છે અને હુમલાખોરો એક રાજકીય પક્ષના ગુંડા છે. આ લોકોએ પહેલા પણ કાશ્મીરને બરબાદ કર્યું હતું અને હવે તેઓ દરગાહ શરીફની અંદર આવી ગયા છે. ડૉ. દરખ્શાં આંદ્રાબીએ આગળ જણાવ્યું કે, ટોળાએ સંચાલક પર પણ હુમલો કર્યો હતો. તેઓ માંડ માંડ બચી ગયા. દરગાહની ગરિમાને ઠેસ પહોંચી છે અને આ કૃત્ય કરનારાઓની ઓળખ થતાં જ તેમને દરગાહમાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે પણ આ સમગ્ર ઘટના પર નિવેદન આપ્યું છે.
Related Articles
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળની બિલ્ડિંગમાં આગ, 9મા માળથી 12મા માળ સુધીના 8 ફ્લેટ ખાખ થયા
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળ...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026