Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

April 08, 2025

દિલ્હી : આમ આદમી પાર્ટીએ ગુલાબ સિંહ યાદવની ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિમણૂક કરી છે. ગુલાબ સિંહે પાર્ટી દ્વારા આપવામાં આવેલી આ નવી જવાબદારી માટે AAP સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે. ગુલાબ સિંહ યાદવ એ જ વ્યક્તિ છે, જેમની ટિકિટ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાપી હતી. હવે તેમને ગુજરાતમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા બાદ ગુલાબ સિંહ યાદવે તેમના એક્સ એકાઉન્ટમાં લખ્યું હતું કે, ‘એવું લાગે છે કે મારો ગુજરાત સાથે જૂનો સંબંધ છે - આભાર અરવિંદ કેજરીવાલ. તમે ફરીથી મારામાં વિશ્વાસ દાખવ્યો છે, હું શક્ય તેટલા બધા પ્રયાસો કરીશ. આ વખતે ગુજરાતમાં એક નવું આંદોલન શરુ થવું જોઈએ, લોકો પોતે જ ભાજપને ઉખેડી નાખવા તૈયાર થઈ જશે.’ તેમણે AAPના એક્સ હેન્ડલ પર કરેલી પોસ્ટને રિ-પોસ્ટ કરતી વખતે આ વાતો લખી હતી.