Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

કેજરીવાલની મુશ્કેલીઓ વધી, હવે 'શીશ મહેલ'ની ઝીણવટભરી તપાસ થશે

February 15, 2025

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધવા લાગી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ ભાજપના 'શીશમહલ'ના આરોપોની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સીવીસીના આદેશ પર નવેમ્બરથી તપાસ ચાલી રહી હતી.

પ્રારંભિક રિપોર્ટ મળ્યા બાદ હવે વિગતવાર તપાસના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલામાં કેજરીવાલ પર કાયદાકીય મુશ્કેલીનો નવો ગાળીઓ સખ્ત થતો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે, 14 ઓક્ટોબર, 2024 ના રોજ, વિજેન્દ્ર ગુપ્તાએ આ મામલે CVCને ફરિયાદ કરી હતી.

સીવીસીએ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન 6 ફ્લેગ સ્ટાફ બંગલાના નવીનીકરણની તપાસના આદેશ આપ્યા છે. CVC એ CPWD (સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) ને આરોપોની વિગતવાર તપાસ કરવા જણાવ્યું છે કે '40,000 ચોરસ યાર્ડ (8 એકર)માં ફેલાયેલા ભવ્ય બંગલાના નિર્માણ માટે બિલ્ડિંગના ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.'