કેજરીવાલની મુશ્કેલીઓ વધી, હવે 'શીશ મહેલ'ની ઝીણવટભરી તપાસ થશે

February 15, 2025

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધવા લાગી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ ભાજપના 'શીશમહલ'ના આરોપોની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સીવીસીના આદેશ પર નવેમ્બરથી તપાસ ચાલી રહી હતી.

પ્રારંભિક રિપોર્ટ મળ્યા બાદ હવે વિગતવાર તપાસના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલામાં કેજરીવાલ પર કાયદાકીય મુશ્કેલીનો નવો ગાળીઓ સખ્ત થતો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે, 14 ઓક્ટોબર, 2024 ના રોજ, વિજેન્દ્ર ગુપ્તાએ આ મામલે CVCને ફરિયાદ કરી હતી.

સીવીસીએ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન 6 ફ્લેગ સ્ટાફ બંગલાના નવીનીકરણની તપાસના આદેશ આપ્યા છે. CVC એ CPWD (સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) ને આરોપોની વિગતવાર તપાસ કરવા જણાવ્યું છે કે '40,000 ચોરસ યાર્ડ (8 એકર)માં ફેલાયેલા ભવ્ય બંગલાના નિર્માણ માટે બિલ્ડિંગના ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.'