Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ

June 23, 2026

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તેવી એક ત્રણ માળની ઇમારતમાં સોમવારે ભયાનક આગ લાગી હતી. આ ગંભીર દુર્ઘટનામાં દાઝી જવાના કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને બેદરકારી દાખવવા બદલ તંત્રના 4 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ ભયાનક ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.

આ આખી ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા 2 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેને 7 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. સારવાર હેઠળ રહેલા ઘાયલોમાંથી 9 લોકોને રજા આપી દેવામાં આવી છે. આ મામલે કડક વલણ અપનાવતા સરકારે જાનકીપુરમના વીજ વિભાગના અધિકારી ગૌરવ કુમાર, ઇન્દિરા નગર ફાયર બ્રિગેડ શાખાના કમલેન્દ્ર કુમાર સિંહ, એલડીએના આસિસ્ટન્ટ એન્જિનિયર અનિલ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રમોદ પાંડેને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ પોલીસે બિલ્ડિંગના સંયુક્ત માલિકો રામ કૃષ્ણ ઉપાધ્યાય, વીરેન્દ્ર પ્રસાદ શુક્લા, તુષાર કૃષ્ણ જાયસવાલ અને સુરેશ કુમાર સાહુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.