ઈન્ડિગો-એર ઈન્ડિયાની 400થી વધુ ફ્લાઈટ્સ રદ

March 01, 2026

ઈન્ડિગોએ મધ્ય પૂર્વના એરસ્પેસનો ઉપયોગ કરતી ફ્લાઈટ્સને 2 માર્ચ 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

કતાર એરવેઝ (Qatar Airways): કતારનું એરસ્પેસ બંધ થવાને કારણે તમામ સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

એતિહાદ એરવેઝ (Etihad Airways): અબુ ધાબીથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ સોમવાર, 2 માર્ચના રોજ રાત્રે 2 વાગ્યા સુધી (UAE સમય મુજબ) રદ કરવામાં આવી છે

ઈરાન પર થયેલા હુમલાને કારણે શનિવારે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને હવે રવિવારે ભારત 444 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરે તેવી શક્યતા છે. એવિએશન રેગ્યુલેટર DGCA એ સ્થિતિ પર દેખરેખ વધારી દીધી છે અને એરલાઇન કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. મધ્ય પૂર્વમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. જેઓ એરસ્પેસ બંધ થવાને કારણે ત્યાં ફસાઈ ગયા છે. દુબઈ હોય કે અબુ ધાબી, સોશિયલ મીડિયા પર ભારતીયો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે.