નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ, મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી: ચિરાગ પાસવાન
May 18, 2025

ચિરાગને મુખ્યમંત્રી બનાવવાના પોસ્ટરોથી રાજકારણમાં ખળભળાટ
દરભંગા- એકતરફ બિહાર વિધાનસભી ચૂંટણીઓ નજીક આવી રહી છે, તો બીજીતરફ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (Chirag Paswan)ના પોસ્ટરો પટનામાં જોવા મળતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટરોમાં ચિરાગને બિહારના મુખ્યમંત્રી બનાવાવનો ઉલ્લેખ કરાયો છે. જોકે ચિરાગ પાસવાને આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર ન હોવાનું કહી કહ્યું છે કે, સીએમ નીતીશ કુમાર (CM Nitish Kumar) જ બિહારનું નેતૃત્વ કરશે.
તાજેતરમાં જ પટનાના અનેક સ્થળો પર ચિરાગ પાસવાનના પોસ્ટર લગાવાયા હતા. પોસ્ટરો પર ‘બિહારના મુખ્યમંત્રી તરીકે ચિરાગ જોઈએ’, ‘બિહાર તાજપોશીની રાહ જોઈ રહ્યું છે’, ‘બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ’ અને ‘બિહાર ચિરાગનું સ્વાગત કરવા તૈયાર’ જેવા અનેક પોસ્ટરો જોવા મળી રહ્યા છે. આ ઘટના બાદ ચિરાગને પ્રશ્ન કરવામાં આવતા તેમણે કહ્યું કે, ‘2025માં બિહારમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. એનડીએ નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડશે અને જીતીને સરકાર બનાવશે.’
દરભંગા આવેલા ચિરાગ પાસવાને પોસ્ટરો અને હોર્ડિંગ્સ પરની બાબતોને અટકળો કહી દીધી છે. તેમણે કહ્યું કે, હાલમાં આવો કોઈ દાવો નથી. નીતિશ કુમારના નેતૃત્વમાં NDA સંપૂર્ણપણે આગળ વધશે.
તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં નીતિશ કુમાર બિહારમાં એનડીએનું નેતૃત્વ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ જ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનથી આગામી વિધાનસભા ચૂંટણી પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. નીતીશ કુમારનું વિઝન બિહારનો વિકાસ છે અને વડાપ્રધાન તે વિઝન સાથે સરકારનું નેતૃત્વ કરશે
Related Articles
બે દિવસમાં મોટી જાહેરાતની શક્યતા, ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર મંત્રણા અંતિમ તબક્કામાં
બે દિવસમાં મોટી જાહેરાતની શક્યતા, ભારત-અ...
Jul 03, 2025
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરક...
Jul 02, 2025
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી,...
Jul 02, 2025
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્...
Jul 02, 2025
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ, વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ...
Jul 02, 2025
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલ...
Jul 02, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025