સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું સેવા તીર્થ ભારતની જનતાને સમર્પિત

February 14, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું. આનો અર્થ એ થયો કે આજથી, પીએમ મોદી નવા પ્રધાનમંત્રી કાર્યાલય, "સેવા તીર્થ" માં શિફ્ટ થશે. આમ, શુક્રવારથી દેશનું શક્તિ કેન્દ્ર બદલાઈ જશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, પીએમ મોદીએ "સેવા તીર્થ" ભવન સંકુલનું નામ અનાવરણ કર્યું. 2.26 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલું સેવા તીર્થ 1189 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. સેવાતીર્થથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરી રહ્યા છે. સંબોધનમાં કહ્યુ કે આજે આપણે ઇતિહાસ બનતા જોઇ રહ્યા છીએ.

પીએમ મોદીએ સેવાતીર્થથી સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે, જૂની ઇમારત ગુલામીનું પ્રતીક હતી. સેવાતીર્થ, કર્તવ્ય ભવનથી લોકોની આશાઓ પૂરી થશે. વિકસિત ભારતના લક્ષ્ય સાથે કર્તવ્ય ભવનમાં પ્રવેશ. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે સેવા-તીર્થ અને કર્તવ્ય ભવનમાં પ્રવેશવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ છે.

આ ઇમારતો બ્રિટિશ વિચારધારાને અમલમાં મૂકવા માટે બનાવવામાં આવી હતી. ઉત્તર-દક્ષિણ બ્લોક્સ બ્રિટિશ શાસનનું પ્રતીક હતા. હું ભારતના લોકોને સેવા તીર્થ સમર્પિત કરી રહ્યો છું. ઉત્તર-દક્ષિણ બ્લોક્સ એટલા ઊંચા બનાવવામાં આવ્યા હતા કે કોઈ તેમની બરાબરી કરી શકે નહીં, પરંતુ સદભાગ્યે, સેવા તીર્થ જમીનમાં મૂળ ધરાવે છે. તે ટેકરી પર બનેલ નથી.