Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ

December 13, 2024

હૈદરાબાદ : ફિલ્મ પુષ્પા-2થી સિનેમા જગતમાં હલચલ મચાવી દેનારા સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક મહિલાની મોતના મામલે ધરપકડ કરવામાં આવી છે. એક્ટરને 174 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેની ધરપકડ પર હવે રાજકારણ પર ગરમાયું છે. જગન મોહન રેડ્ડીની YSRCP અને BRS જેવી રાજકીય પાર્ટીઓએ આ ધરપકડને ખોટી જણાવી છે. 


અલ્લુ અર્જુનની ધરપકડ પર YSRCP ના નેતા લક્ષ્મી પાર્વતીએ કહ્યું, 'અલ્લુ અર્જુનની ધરપકડ દુઃખદ છે અને આ મામલે ચંદ્રબાબુ નાયડૂનો હાથ છે. અલ્લુ અર્જુન જોવા ગયો હતો કે, ફિલ્મ કેવી છે. પરંતુ, આ સરકાર એટલી નકામી છે કે, અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો તો સુરક્ષાની પર્યાપ્ત સુવિધા ન કરી શકી. અલ્લુ અર્જુને કંઈ ખોટું નથી કર્યું. કંદુકુર, પુષકરમ અને રાજમુંદરીમાં થયેલા અકસ્માત માટે કેટલીવાર ચંદ્રબાબૂ નાયડુની ધરપકડ કરવામાં આવી? ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને તેમના તેલંગાણામાં સમર્થક છે. વળી, અલ્લુ અર્જુનની ધરપકડ પર ભારતીય રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવ એક્ટરના બચાવમાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, એક અસુરક્ષિત નેતા હંમેશા તેમની આસપાસના લોકોને દબાવે છે.