પુલવામા હુમલાને યાદ કરીને PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
February 14, 2026
પીએમ મોદીએ 2019માં થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ જવાનોના બલિદાનને યાદ કરીને કહ્યું કે તેમનું અદમ્ય સાહસ, રાષ્ટ્રભક્તિ અને સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છે. પીએમ મોદીએ શનિવારે 2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને બહાદૂરી, સમર્પણ અને દેશ પ્રત્યે સેવાને યાદ કરી. પીએમ મોદીએ કહ્યું કે 2019માં આજના દિવસે પુલવામામાં પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર જવાનોને શત શત નમન કર્યા.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ બહાદુર સીઆરપીએફ સૈનિકોને નમ્ર શ્રદ્ધાંજલિ આપી. તેમના બલિદાનને યાદ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ભારતીય ઇતિહાસમાં હંમેશા માટે અંકિત રહ્યું છે અને સદીઓથી રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે. તેમણે લખ્યું કે પુલવામા આતંકવાદી હુમલામાં પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં રહેશે અને આપણને એક મજબૂત અને સુરક્ષિત ભારત બનાવવા માટે પ્રેરણા આપશે."
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર CRPF કાફલાને નિશાન બનાવ્યો હતો. જે સૌથી ભયંકર આતંકવાદી હુમલાઓમાંથી એક હતો. જેમાં 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. પુલવામા આતંકવાદી હુમલાએ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધાર્યો ન હતો, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદ અને સુરક્ષા અંગે વિશ્વભરમાં ચર્ચા પણ શરૂ કરી હતી. આ હુમલામાં જીવ ગુમાવનારા ૪૦ બહાદુર CRPF સૈનિકોને યાદ કરવા માટે આ દિવસને 'કાળા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026