Breaking News :
સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ ભારતે ગ્લોબલ સાઉથ ભાગીદાર બોલિવિયાને જાહેર આરોગ્ય મજબૂત કરવા 8 મેટ્રિક ટન જીવનરક્ષક દવાઓની ખેપ મોકલી વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર 64 મીટરની નજીક પહોંચતા ઘાટના પગથિયાં ડૂબ્યા, કાશી વિશ્વનાથ ધામનું ગંગા દ્વાર બંધ

પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી રિંકુ ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાશે

February 28, 2026

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સ્ટાર રિંકુ સિંહ હાલમાં તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ તેણે તેના પિતાને ગુમાવ્યા. 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત-ઝિમ્બાબ્વે મેચના થોડા કલાકો પછી તેના પિતાનું અવસાન થયું.આ દુઃખ અને પીડા છતાં રિંકુએ હિંમત બતાવી છે અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી રિંકુ ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર રિંકુ સિંહ 28 ફેબ્રુઆરી, શનિવારના રોજ કોલકાતામાં ટીમ ઈન્ડિયામાં જોડાશે,જ્યાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. આ મેચ 1 માર્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે, અને વિજેતા ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રિંકુએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને હિંમત દર્શાવી છે. રિંકુ હાલમાં તેના પરિવાર સાથે અલીગઢમાં છે.

રિંકુના પિતા ખાનચંદ સિંહનું શુક્રવાર, 27 ફેબ્રુઆરીના રોજ સવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્ટેજ 4 લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના મૃત્યુ પહેલા, રિંકુ ટુર્નામેન્ટ દરમિયાન ગ્રેટર નોઈડા ગયો હતો અને પિતાની બગડતી તબિયત જોઈ હતી. જોકે, તે 26 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ઝિમ્બાબ્વે સામેની મેચના એક દિવસ પહેલા ટીમમાં પાછો ફર્યો હતો.