રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માગી માફી

December 28, 2024

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવથી રશિયન હવાઈ ક્ષેત્રમાં બનેલી વિમાન દુર્ઘટના માટે માફી માગી. આ ઘટના બુધવાર (25 ડિસેમ્બર)એ બની, જ્યારે અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 દક્ષિણ રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ ઘટનામાં ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા, જ્યારે 29 લોકો બચી ગયા. 


ફ્લાઈટ J2-8243 દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવી હતી, કારણ કે તે સમયે અહીં યુક્રેની ડ્રોન દ્વારા હુમલા થઈ રહ્યા હતા. વિમાને ગ્રોજ્ની એરપોર્ટ પર લેન્ડ કરવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. યુક્રેની ડ્રોન હુમલા દરમિયાન રશિયાના એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ હુમલાઓને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા. રશિયાએ માન્યું કે અઝરબૈજાન વિમાન પર હુમલો ભૂલથી થયો હતો. રશિયા તરફથી કહેવામાં આવ્યું કે, ડાયવર્ઝન સુરક્ષા કારણોથી થયો હતો. જણાવી દઈએ કે, વિમાન પર થયેલા હુમલાથી ક્ષતિગ્રસ્ત થયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું તે સમયે ક્રેશ થયું અને વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. ક્રેમલિને પુષ્ટિ કરી છે કે, રાષ્ટ્રપતિ પુતિને આ દુઃખદ ઘટના પર માફી માગી અને પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પુતિને ઘાયલોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી છે. એવું માનવામાં આવ્યું કે વિમાન ડાયવર્ઝન સુરક્ષાના કારણોથી થયું હતું, કારણ કે ગોજ્ની, મોજદોક અને વ્લાદિકાવકાજ પર યુક્રેની ડ્રોનથી હુમલા કરાઈ રહ્યા હતા.