Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

પુલવામામાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર શહીદોને શતશત નમન

February 14, 2026

આજે લેટપોરા, પુલવામા સ્થિત CRPF કેમ્પમાં તમામ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 14 ફેબ્રુઆરીનો દિવસ શહીદ થયેલા વીર જવાનોને યાદ કરવા અને તેમના બલિદાનને સન્માન આપવા માટે ‘બ્લેક ડે’ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

આ દુખદ ઘટના પછી સુરક્ષાની વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. ઇન્ટેલિજન્સ કોઓર્ડિનેશન વધારવામાં આવ્યું અને કાઉન્ટર-ટેરર સ્ટ્રેટેજી તેમજ વિસ્તારની સ્થિરતા અંગે દેશમાં નવી ચર્ચા શરૂ થઈ. હુમલા બાદ ભારતે જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત સુરક્ષા દળોની સંખ્યા વધારી દીધી છે. હુમલાની સાતમી વરસી પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારથી શ્રીનગર અને અન્ય સ્થળોના વ્યસ્ત વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યુ છે.

આ ભયાનક આતંકી હુમલો જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર CRPFના કાફલા પર એક સુસાઇડ બોમ્બરે કર્યો હતો. વિસ્ફોટકો ભરેલી અલ્ટ્રા-મોડિફાઇડ ગાડી CRPF જવાનોને લઈ જતી બસ સાથે અથડાઈ હતી. આ વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતા અને 35થી વધુ જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હતી.