એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા
February 06, 2026
દિલ્હી- એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે. આનો અર્થ એ છે કે એર ઇન્ડિયાના 70 ટકા વિમાનો ટેકનિકલ રીતે બીમાર છે. કેન્દ્ર સરકારે માહિતી આપી કે, તમામ એરલાઇન્સમાં સૌથી વધુ ટેકનિકલ સમસ્યાઓ એર ઇન્ડિયાના વિમાનોમાં જોવા મળી છે. સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ગરબડ થવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે, વારંવાર થતી ખામીઓના સંદર્ભમાં ઈન્ડિગોના 405 વિમાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં 148 વિમાનોમાં વારંવાર ગરબડ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, સ્પાઈસ જેટના 43 વિમાનોમાંથી 16 માં વારંવાર ગરબડ હોવાનું જાણવા મળ્યું છે. આંકડા અનુસાર, તપાસવામાં આવેલા 32 વિમાનોમાંથી કુલ 14 અકાસા એર વિમાનોમાં પણ ખામીઓ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, એવિએશન સેફ્ટી રેગ્યુલેટર 'ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન' (DGCA) એ પણ 3,890 સર્વેલન્સ નિરીક્ષણો કર્યા હતા. મંત્રીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે આવી માત્ર 353 ઘટનાઓ બની હતી.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026