કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો, મિઝોરમમાં બોલ્યા પીએમ મોદી

September 13, 2025

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે નીકળ્યા છે. તેઓ હાલમાં મિઝોરમમાં છે, જ્યાં તેમણે રાજ્યને રેલ્વેની ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રીએ મિઝોરમમાં કહ્યું કે આ દેશ માટે, ખાસ કરીને મિઝોરમના લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે. આજથી, આઈઝોલ ભારતના રેલ્વે નકશામાં ઉમેરવામાં આવ્યું છે. હું મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર છું. કમનસીબે, ખરાબ હવામાનને કારણે, હું તમારી વચ્ચે આઈઝોલ આવી શક્યો નહીં, પરંતુ આ માધ્યમથી પણ હું તમારો પ્રેમ અને સ્નેહ અનુભવી રહ્યો છું.

પીએમ મોદીએ રેલવે લાઇનનુ ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું કે ભારત સૌથી તેજીથી વધતી ઇકોનોમી છે. જીએસટી રિફોર્મથી પર્યટકોને પ્રોત્સાહન મળશે. કોંગ્રેસના સમયે હેલ્થકેર પર ઘણો ટેક્સ હતો. કેન્સર જેવી બીમારીઓની દવા સસ્તી થઇ. ફરવુ અને હોટલમાં રહેવુ સસ્તુ થયું છે.