જામનગરમાં દુકાનમાં બાકોરું પાડી 26 લાખના ઘરેણાંની ચોરી કરનાર ત્રણની ધરપકડ
January 18, 2026
જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, સોના ચાંદીના શોરૂમ માંથી ત્રણ દિવસ પહેલાં કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસ કરીને ધ્રોલ-જોડિયા રોડ પરથી ચોરેલા મુદ્દામાલ સાથે બાઇક પર ભાગી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે, તેઓ પાસેથી રૂપિયા 26.96 લાખની કિંમતના ઘરેણાં અને બે બાઈક વગેરે કબજે કરવામાં આવ્યા છે.
જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની સોની વેપારી પ્રકાશ હેમતલાલ સોનીની ધ્રોલ નગરપાલિકા સામે આવેલી દુકાનમાં 14 જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ધાડ પાડી હતી. ચોરો દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડી, દુકાનમાથી સોના ચાંદી સેરવી ગયા હતા. જેની અંદાજિત કિંમત 26 લાખથી વધુ હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ફરિયાદ બાદ LCBની ટીમો તસ્કરોને પકડી પાડવા સક્રિય થઈ હતી. તપાસમાં ચોક્કસ બાતમી મળી હતી કે જ્વેલર્સમાં ચોરી કરનાર ચોરો બાઈક લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. પોલીસે તેમને પકડવાની પૂરતી તૈયારી કરી દીધી હતી.
ધ્રોલમાં ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે વોચ ગોઠવી હિંમત પાંગળાભાઇ મહેડા, ટીનુ પાંગળાભાઈ મહેડા, શૈલેષ નવલસીંગ મહેડા નામના આરોપીઑની અટકાયત કરી હતી. જેમની પાસેથી સોનાની કિંમત 17 લાખ 50 હજાર અને ચાંદીની 9 લાખ 46 હજારના દાગીના જપ્ત લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી બે બાઈક અને 4 નંગ મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો સળિયો પણ પોલીસ ટીમને મળી આવ્યો હતો.
Related Articles
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અ...
Feb 05, 2026
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લા...
Feb 04, 2026
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી...
Feb 04, 2026
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમા...
Feb 03, 2026
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક્તોએ લીધો શાકોત્સવનો પ્રસાદ
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક...
Feb 03, 2026
વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો થતા તંત્રમાં દોડધામ
વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ...
Feb 02, 2026
Trending NEWS
04 February, 2026
04 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026